SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ ૧૬૧ કામ લાગે અને રોગોનું નિવારણ કરી શકે તેવા યોગીઓ વિખુષ લબ્ધિવાળા કહેવાય છે. (૩) વેનૌષધ (વેનોદિ) ખેલ' એટલે શ્લેખ અથવા બળખો. જે સાધકોના ખેલ એમની લબ્ધિના કારણે સુગંધિત થઈ જાય છે અને તે વડે તેઓ બીજાના રોગનું નિવારણ કરવાને માટે સમર્થ બને છે તે ખેલૌષધિ લબ્ધિવાળા કહેવાય છે. (૪) નન્નઘ (નક્નોદ) “જલ્લ” એટલે મેલ. આ લબ્ધિવાળા સાધકોનો શરીરનો મેલ લબ્ધિના કારણે સુગંધિત થઈ જાય છે અને બીજાના રોગોનું નિવારણ કરવાને માટે સમર્થ બને છે. તેઓ જલ્લૌષધિ લબ્ધિવાળા કહેવાય છે. (૧) ધ (સભ્યોરિ) જે સાધકોનાં મળ-મૂત્ર-શ્લેષ્મ, મેલ, નખ અને વાળ સુગંધવાળાં અને વ્યાધિનો નાશ કરવા માટે સમર્થ હોય તેમની લબ્ધિ સર્વોષધિ તરીકે ઓળખાય છે. (६) संभिन्नश्रोती “સંભિન્ન' એટલે પ્રત્યેક. આ પ્રકારની લબ્ધિવાળા યોગીઓ માત્ર કાનથી જ નહિ, શરીરના કોઈ પણ અંગ દ્વારા સાંભળવાને સમર્થ હોય છે. એમની જુદી જુદી ઇન્દ્રિયો એકબીજીનું કાર્ય કરવાને શક્તિમાન હોય છે. (૭) મઘજ્ઞાન જે મહાત્માઓને પોતપોતાના જ્ઞાનની મર્યાદા અનુસાર વર્તમાન, ભૂત તથા ભવિષ્યના રૂપી પદાર્થોનું દર્શન થાય છે અને ઉપયોગ મૂકીને તે પ્રમાણે કથન કરવાને સમર્થ હોય છે તેઓની લબ્ધિને “અવધિજ્ઞાન લબ્ધિ' કહેવામાં આવે છે. (2) 28નુમતિ “ઋજુ' એટલે સામાન્યથી. આમ, આ લબ્ધિ મન:પર્યવ જ્ઞાનવાળા મુનિઓને પ્રાપ્ત થાય છે. એ દ્વારા તેઓ સંજ્ઞી જીવોના મનોગત ભાવોને સામાન્ય રૂપથી જાણી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy