SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ ૧૬૨ (3) દિપુનમતિ વિપુલ' એટલે વિસ્તારથી. મન:પર્યવ જ્ઞાનવાળા મુનિઓ આ લબ્ધિ દ્વારા ઘટપટ વગેરે વસ્તુના ધોળા, રાતા વગેરે સમસ્ત પર્યાયોને ગ્રહણ કરી શકે છે. (૧૦) વારા દિવ્ય (વંથાવાર-વિદ્યાવાર) આ લબ્ધિવાળા સાધકો આકાશમાં આવવા-જવાની વિશિષ્ટ શક્તિ ધરાવે છે. જે મુનિઓ સૂર્યનાં કિરણો પકડીને એક પગલું ઉપાડીને તેમાં રુચક દ્વીપે જાય છે અને ત્યાંથી પાછા ફરતાં પહેલું પગલું ઉપાડીને નંદીશ્વર દ્વિીપે અને બીજું પગલું ઉપાડીને પોતાના સ્થાને પાછા આવે છે તેઓ જંઘાચરણ લબ્ધિવાળા કહેવાય છે. આવી લબ્ધિવાળા ઊર્ધ્વગતિમાં એક પગલું ઉપાડીને પાંડુક વનમાં જાય છે અને ત્યાંથી પાછા ફરતાં પહેલું પગલું ઉપાડીને નંદનવનમાં જાય છે, અને બીજું પગલું ઉપાડીને પોતાના સ્થાનમાં પાછા આવે છે. જે મુનિઓ પોતાની લબ્ધિથી પહેલું પગલું ઉપાડીને નંદીશ્વર દ્વીપે જાય છે અને ત્યાંથી પાછા ફરતાં એક પગલું ઉપાડીને પોતાના સ્થાનકે પાછા આવી જાય છે તેઓ વિદ્યાચરણ લબ્ધિવાળા કહેવાય છે. આ લબ્ધિવાળા મુનિઓ ઊર્ધ્વગતિમાં પહેલું પગલું ઉપાડીને નંદનવનમાં અને બીજું પગલું ઉપાડીને પાંડુકવનમાં જાય છે. ત્યાંથી પાછા ફરતાં એક જ પગલું ઉપાડીને પોતાના સ્થાને આવી જાય છે. (११) आशीविष આ લબ્ધિવાળા યોગીઓ ફક્ત એક જ વચન બોલીને તે દ્વારા શાપ (અથવા આશીર્વાદ) આપવાની શક્તિ ધરાવે છે. (૧૨) વર્તી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોના ક્ષયથી કેવળજ્ઞાનરૂપી લબ્ધિ પ્રગટ થાય છે. (१३) गणधर આ લબ્ધિ પ્રાપ્ત કરનાર તીર્થકર ભગવાનના ગણધરનું પદ મેળવવાને સમર્થ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy