SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ ૧૫૯ - એમ મુખ્ય પાંચ પ્રકારની લબ્ધિમાં પ્રથમ ચાર લબ્ધિ ભવ્ય કે અભવ્ય બંને પ્રકારના જીવોને પ્રાપ્ત થાય છે, પરંતુ કરણ લબ્ધિ તો ફક્ત ભવ્ય જીવોને જ પ્રાપ્ત થાય છે અને તે પણ સમ્યત્વની પ્રાપ્તિ પછી. લયોપશમને કારણે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને ક્ષયોપશમી લબ્ધિ કહેવામાં આવે છે. પ્રતિસમય શુભ કર્મોના બંધમાં નિમિત્તભૂત અને અશુભ કર્મોના બંધની વિરોધી એવી લબ્ધિને વિશુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. પડદ્રવ્ય અને નવતત્ત્વના ઉપદેશરૂપી ઉપદેશ આપવાની શક્તિને દેશના લબ્ધિ કહેવામાં આવે છે. સમ્યગ્દષ્ટિ મહાત્માઓ જ આવી દેશના લબ્ધિ ધરાવે છે. કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ અનુભાગનો ઘાત કરીને અંત: કોડાકોડી સ્થિતિમાં અને દ્વિસ્થાનીય અનુભાગમાં અવસ્થાન કરવું તેને પ્રાયોગ્ય લબ્ધિ કહેવામાં આવે છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમ સાથે જે ભવ્યાત્મા અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે તેની લબ્ધિ કરણ લબ્ધિ કહેવાય છે. કાલ, કરણ, ઉપદેશ, ઉપશમ અને પ્રાયોગ્યતારૂપ પાંચ ભેદોને કારણે પણ લબ્ધિના પાંચ પ્રકાર બતાવવામાં આવે છે. ધન, લાભ, ભોગ, પરિભોગ અને વીર્ય એમ પાંચ પ્રકારની લબ્ધિ પણ ગણાવવામાં આવે છે. જુઓ : लद्धी पंचः वियप्पा दाण-लाह-भोगुपभोग-वीरियमिदि। દાન, લાભ, ભોગ, પરિભોગ, વિર્ય, સમ્યત્વ, દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ નવ પ્રકારની કેવળ લબ્ધિ બતાવવામાં આવે છે. दाणे-लाभे-भोगे-परिभोगे वीरिय सम्मते। णव केवली लद्धीओ दंसण-णाणं चरिते य।। ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને દસ પ્રકારની લબ્ધિ બતાવી છે. જુઓ – गोयमा। दसविहा लद्धी पण्णत्ता तं जहा नाणलद्धी, सणलद्धी, चरितलद्धी चरिताचरितलद्धी, दाणलद्धी, लाभलद्धी, भोगलद्धी, उवभोगलद्धी, वीरयलद्धी, રૂઢિચત્ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy