SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ ૧૫૮ ગઈ છે અથવા એવી લબ્ધિઓ ધરાવનાર મહાત્માઓ વિરલ થઈ ગયા છે, અને તેઓ પણ ઓછામાં ઓછો જનસંપર્ક રાખતા હોય છે. વૈદિક દર્શનમાં વિશિષ્ટ પ્રકારની ચમત્કારિક શક્તિને માટે ‘વિભૂતિ’ શબ્દ વપરાયો છે. વેદો, ઉપનિષદો, પાતંજલ યોગસૂત્ર, ભગવદ્ગીતા, પુરાણો વગેરેમાં વિવિધ પ્રકારની વિભૂતિઓનું વર્ણન જોવા મળે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એ દરેક પ્રકારના યોગાંગ દ્વારા અથવા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સ્વાધ્યાય, તપ, ઈશ્વરપ્રણિધાન વગેરે દ્વારા આવી વિવિધ વિભૂતિઓ પ્રગટ થાય છે એમ ઉપનિષદો, યોગસૂત્ર, યોગદર્શન, ભગવદ્ગીતા ઇત્યાદિ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે. બૌદ્ધ પરંપરાના સાહિત્યમાં પણ લબ્ધિરૂપી વિવિધ ચમત્કારિક શક્તિઓના ઉલ્લેખો મળે છે. આવી લબ્ધિને બૌદ્ધ પરિભાષા પ્રમાણે ‘અભિજ્ઞા’ નામથી ઓળખવામાં આવે છે. ‘વિશુદ્ધિમગ્ગો’ નામના ગ્રંથમાં બતાવ્યું છે કે અભિજ્ઞાઓ બે પ્રકારની છે : (૧) લૌકિક અને (૨) લોકોત્તર. આકાશગમન (ઋદ્ધિવિધ), પશુ-પક્ષીઓની બોલીનું જ્ઞાન (દિવ્ય સ્રોત), પરચિત્ત વિજ્ઞાનતા, પૂર્વજન્મનું જ્ઞાન (પૂર્વનિવાસાનુસ્મૃતિ), દૂર રહેલી વસ્તુઓનું દર્શન વગેરે અભિજ્ઞાઓ લૌકિક પ્રકારની છે. સાધક જ્યારે અર્હત્ અવસ્થાની પ્રાપ્તિ કરે છે અને લોકોને નિર્વાણમાર્ગ સમજાવવાને સમર્થ બને છે ત્યારે તેની તે શક્તિને લોકોત્તર અભિજ્ઞા કહેવામાં આવે છે. 1 લબ્ધિઓ કેટલી છે ? આમ જો જોવા જઈએ તો આત્માને જેટલી શક્તિ તેટલી લબ્ધિઓ છે એમ કહી શકાય. અર્થાત્ અનંત શક્તિમાન એવા આત્મામાંથી અનંત પ્રકારની લબ્ધિઓ પ્રગટ થઈ શકે. એટલા માટે ગૌતમસ્વામીને ‘અનંત લબ્ધિનિધાન ' અર્થાત્ અનંત લબ્ધિઓના ભંડાર તરીકે ઓળખાવવામાં આવે છે. પરંતુ કેટલીક મહત્ત્વની વિશિષ્ટ લબ્ધિઓના જે ઉલ્લેખો જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી જુદા જુદા શાસ્ત્રગ્રંથોમાં જોવા મળે છે એમાં પાંચ, દસ, અઠ્ઠાવીસ, અડતાલીસ, પચાસ કે ચોસઠ પ્રકારની વિભિન્ન લબ્ધિઓનાં નામો મળે છે. લબ્ધિના પ્રકારો ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુથી ભિન્ન ભિન્ન દર્શાવવામાં આવ્યા છે. આધ્યાત્મિક વિશુદ્ધ દૃષ્ટિ લક્ષમાં રાખીને આત્માની અવસ્થા અનુસાર પાંચ પ્રકારની લબ્ધિ ગણાવાય છે : (૧) ક્ષયોપશમ લબ્ધિ, (૨) વિશુદ્ધ લબ્ધિ, (૩) દેશના લબ્ધિ, (૪) પ્રાયોગ્યતા લબ્ધિ, (૫) કરણ લબ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy