SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ જિનતત્ત્વ તપથી રોગ દૂર થાય છે, ઇન્દ્રિયો સંયમમાં રહે છે; લબ્ધિ પ્રગટ થાય છે; આત્મશક્તિ ખીલે છે અને કર્મની નિર્જરા થાય છે. તપનો મહિમા જૈન ધર્મમાં બહુ મોટો છે. તપની પ્રભાવનાથી ધર્મની વૃદ્ધિ થાય છે. કેટલાક માણસોનાં હૃદયમાં તપ પ્રત્યે સ્વાભાવિક રીતે જ ઉદાસીનતા કે અરુચિ હોય છે. એવા માણસોને તપનું માહાસ્ય સમજાય અને સ્વાનુભવથી પ્રતીતિ થાય તો તેઓ ઉત્તરોત્તર અધિક તપ કરવા લાગે છે. ઉગ્ર તપશ્ચર્યાની બાબતમાં બધા ધર્મોમાં જૈન ધર્મ સર્વપ્રથમ છે. ભગવાન મહાવીર “દીર્ઘ તપસ્વી' તરીકે સુપ્રસિદ્ધ છે. તપથી ધર્મની અનેરી પ્રભાવના થઈ શકે છે. વિદ્યા-પ્રભાવક મહાત્માઓ પ્રજ્ઞપ્તિ વગેરે વિવિધ પ્રકારની વિદ્યાઓના જાણકાર હોય છે. વળી તેઓને શાસનદેવીની સહાય છે. પોતાની વિદ્યાઓ વડે તેઓ ચમત્કાર ભરેલી ઘટના કરી શકે છે. વજસ્વામી, હેમચન્દ્રાચાર્ય વગેરે મહાત્માઓ એવી વિદ્યાઓ ધરાવનાર હતા. જરૂર પડે તો પોતાની વિદ્યાના પ્રભાવથી તેઓ રાજા કે લોકોને ધર્મ પમાડતા. અંજન, ચૂર્ણ, લેપ, ગુટિકા વગેરેના વિવિધ યોગની સિદ્ધિ ધરાવનાર તથા વૈક્રિય વગેરે લબ્ધિ ધરાવનાર, સિદ્ધ યોગીઓ પોતાના તેવા અદ્ભુત પ્રયોગોથી ધર્મની અનન્ય પ્રભાવના કરી શકે છે. પાદલિપ્તસૂરિ વગેરે મહાન આચાર્યોએ એવી ધર્મપ્રભાવના કરી હતી. જેમની પાસે બીજાને પ્રતિબોધ પમાડે એવી કાવ્યરચનાની અદ્ભુત શક્તિ હોય એવા મહાપુરુષોને કવિ-પ્રભાવક તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય માણસ કરતાં કવિની વાણી વિશિષ્ટ પ્રકારની હોય છે. અનેક લોકોને તેઓ મુગ્ધ કરે છે. કવિતા વાંચતાં વાચકોને અતિશય આનંદ થાય છે. કવિત્વશક્તિ નૈસર્ગિક છે. બધાંમાં એ નથી હોતી. એટલે જેની પાસે આ વિશિષ્ટ શક્તિ હોય તેને સાંભળવા માટે અનેક લોકો ઉત્સુક હોય છે. સિદ્ધસેન દિવાકર, માનતુંગસૂરિ, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી, આનંદઘનજી, દેવચંદ્રજી વગેરેની કતિઓ સૈકાઓ થયાં હજુ વંચાય છે. અનેકનાં જીવન ઉપર એ કૃતિઓએ અસર કરી છે. શ્રીમદ્ રાજચંદ્રનાં કેટલાંક પદોએ કેટલાંયનાં જીવનમાં પરિવર્તન આપ્યું છે. કેટલાકની પાસે એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy