SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવના ૧૨૧ પૂછ્યું, “હે ભગવંત ! ધર્મકથા સાંભળનારને અને સંભળાવનારને શો લાભ થાય છે ?' ભગવાને કહ્યું, “ધર્મકથા સાંભળવાથી કે સંભળાવવાથી જીવ સૌભાગ્યશાળી બને છે અને કર્મની નિર્જરા કરે છે.” ધર્મકથા દ્વારા ઉપદેશ આપનારના ઉપદેશનો પ્રભાવ તો જ પડે છે જો એના પોતાના જીવનમાં પોતાનો ઉપદેશ બરાબર ઊતર્યો હોય. તર્કયુક્ત દલીલોથી, નય અને નિક્ષેપથી, પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી શાસ્ત્રાર્થ કરવામાં કેટલાક મહાત્માઓ ઘણા નિપુણ હોય છે. એમણે દરેક વિષયનું પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષની દૃષ્ટિએ એવું ચિંતન કર્યું હોય છે કે એમની પાસે કોઈની દલીલ ચાલતી નથી. પ્રામાણિક જિજ્ઞાસુ માણસની પાસે જ્યારે દલીલ ન રહે અને પોતાના અજ્ઞાનની પ્રતીતિ થાય ત્યારે તે ઉત્સાહપૂર્વક સાચા દિલથી બીજાનો મત સ્વીકારવા તૈયાર થાય છે. કેટલાક મહાત્માઓ પાસે વાદવિવાદની એવી સરસ લબ્ધિ હોય છે કે અનેક લોકોના મોટા સમુદાય વચ્ચે કુશળતાપૂર્વક સરસ વાદ કરી શકે છે. પ્રાચીન સમયમાં રાજ્યના આશ્રયે, રાજાની અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં આવી વાદસભાઓ યોજવામાં આવતી અને જેનો મત જીતે તેનો પ્રભાવ લોકોમાં વધતો. જે હારે તે વિજેતાનો શિષ્ય બની જાય એવી પરંપરા પણ હતી. મલ્લવાદસૂરિ, વૃદ્ધવાદસૂરિ, વાદિદેવસૂરિ, વાદી વેતાલ શાંતિસૂરિ વગેરે વાદવિદ્યામાં નિપુણ હતા અને એમણે વાદ દ્વારા ધર્મની સારી પ્રભાવના કરી હતી. નૈમિત્તિક એટલે કાળ, ચોઘડિયું, પશુપક્ષીઓના અવાજો, સ્વપ્નો ઇત્યાદિ વિવિધ પ્રકારનાં લક્ષણો દ્વારા ત્રિકાળ સંબંધી લાભાલાભ વિશે આગાહી કરી શકનાર જ્ઞાની મહાત્માઓ. ભદ્રબાહુસ્વામી શ્રુતકેવલી હતા અને મહાન નૈમિત્તિક પણ હતા. નૈમિત્તિક પ્રભાવક પ્રસંગાનુસાર પોતાના નિમિત્તના જ્ઞાનનો ઉપયોગ કરી ધર્મની પ્રભાવના કરે છે. જૈન ધર્મમાં તપશ્ચર્યા ઉપર ગણો ભાર મૂકવામાં આવ્યો છે. વળી જૈનોની તપશ્ચર્યા ઘણી આકરી ગણાય છે. ઉપવાસ, આયંબિલ વગેરે કઠિન તપશ્ચર્યાઓ જૈનોમાં જાણીતી છે. કેટલીક વ્યક્તિઓ આઠ, સોળ, એકવીસ, ત્રીસ, પિસ્તાલીસ એમ લગભગ સવાસો દિવસ સુધીના આહાર વગરના ઉપવાસ કરે છે. અકબર બાદશાહના સમયમાં ચંપા શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યાનું કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy