SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવના ૧૨૩ કવિત્વશક્તિ હોય છે કે તેઓ પ્રસંગાનુસાર તરત રચના કરી શકે. એવા કવિઓને શીઘ્ર કવિ કે આશુ કવિ કહેવામાં આવે છે. તેઓ પણ પોતાની વિશિષ્ટ કવિત્વશક્તિ દ્વારા ધર્મનો સારો પ્રભાવ કરી શકે છે. વર્તમાન સમયમાં પ્રચારનાં માધ્યમો વધ્યાં છે. છાપાં, સામયિક, રેડિયો, ચલચિત્ર, ટી.વી., વિડિયો ફિલ્મ વગેરે પ્રકારનાં માધ્યમો દ્વારા કોઈ એક વાત અલ્પ સમયમાં લાખો કે કરોડો માણસો સુધી પહોંચી જઈ શકે છે. આવાં માધ્યમો દ્વારા પણ ધર્મની સરસ પ્રભાવના થઈ શકે છે. જેની પાસે આવાં માધ્યમના ઉપયોગની આવડત કે શક્તિ સારા પ્રમાણમાં હોય છે તેઓ ધર્મનો સારો પ્રચાર કરી શકે છે. અલબત્ત જો સાતત્ય ન હોય તો આવો પ્રચાર પણ અલ્પજીવી બની જાય છે. વળી પ્રચારકની પોતાની પાત્રતા બરાબર ન હોય તો ધર્મના નામે જાણતાં-અજાણતાં ખોટો પ્રચાર થવાનો સંભવ પણ રહે છે. વળી મોટાં પ્રચાર-માધ્યમો માટે નિરંતર પ્રચાર-સામગ્રી અને બહુસંખ્ય પ્રચારકોની અપેક્ષા રહે છે. પરિણામે અનેક સાચા-ખોટા માણસો આવાં ક્ષેત્રોમાં ઘૂસે છે. એટલે કેટલીક વાર પ્રચાર કરતાં પ્રચારનો આભાસ જ માત્ર રહે છે. મોટાં પ્રચાર-માધ્યમોની શક્તિ જેમ મોટી છે તેમ એની મર્યાદાઓ પણ મોટી છે. સાચવીને વાપરવા જેવાં એ માધ્યમો છે. એનાં પ્રલોભનોમાં ઉતાવળે પડવા જેવું નથી. પ્રચાર-માધ્યમો ગમે તેટલાં વધે તો પણ જેના જીવનમાં ધર્મ ચરિતાર્થ થયો છે એવી વ્યક્તિ દ્વારા ધર્મની જેટલી સંગીન પ્રભાવના થઈ શકે તેટલી અન્યથી ન થઈ શકે. જે મહાન ધર્મપ્રભાવકોમાં સમ્યગુદર્શનની જ્યોતિ અનેરી ઝગમગે છે તેઓનું કર્તવ્ય છે કે પોતાની એ જ્યોતિને પ્રકાશિત રાખવા અને અન્યમાં એ જ્યોતિને પ્રગટાવવા માટે દર્શનાચારનાં લક્ષણો પોતાના જીવનમાં સારી રીતે ઉતારે. એવા મહાન પ્રભાવકો દ્વારા ધર્મની ઘણી મોટી પ્રભાવના થઈ શકે છે. એવી પ્રભાવના જ ચિરકાળ ટકી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy