SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જિનતત્ત્વ આશ્રયે અથવા પુષ્કળ નાણાં ખર્ચાને, ભાડૂતી ધર્મપ્રચારકો રોકીને ધર્મનો પ્રચાર કરાવાય છે. એવા પ્રચારમાં લોકો ધર્મ તરફ આવે છે એમ કહેવા કરતાં ધર્મને લોકો તરફ લઈ જવામાં આવે છે એમ કહેવું વધુ યોગ્ય ગણાય. પ્રચાર” કે “પ્રસાર' કરતાં “પ્રભાવના' શબ્દ ચઢિયાતો છે. પ્રભાવનામાં ઉત્તમ ધર્મની પ્રતીતિ થતાં લોકો પોતે જ સ્વેચ્છાએ એ ધર્મ પ્રતિ આકર્ષાય છે, એથી આનંદિત થાય છે અને જીવનમાં તે ધર્મ ઉતારવા માટે પ્રવૃત્ત બને છે. પ્રભાવનામાં અસત્ય, અનીતિ, છેતરપિંડી, લાલચ, કૃત્રિમ પ્રયાસ ઇત્યાદિનો આશ્રય લેવામાં આવતો નથી. પ્રભાવનાના પાયામાં સત્ય, ન્યાય, નીતિ, પ્રામાણિકતા, અનુકંપા, લોકહિતની સાચી ભાવના ઇત્યાદિ રહેલાં હોય છે. જીવમાત્રના ઐહિક તથા પારલૌકિક કલ્યાણનો પરમ સંદેશ પ્રભાવનામાં સહજ રીતે અનુસ્મૃત રહેલો છે. જૈન ધર્મમાં પોતપોતાની વિશિષ્ટ શક્તિ વડે ધર્મનો પ્રભાવ વધારનારી મહાન વ્યક્તિઓના આઠ જુદા જુદા પ્રકાર આ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે : (૧) પ્રવચન પ્રભાવક, (૨) ધર્મકથક પ્રભાવક, (૩) વાદી પ્રભાવક (અથવા નિરપવાદ પ્રભાવક), (૪) નિમિત્તવેત્તા પ્રભાવક (અથવા ત્રિકાલજ્ઞ પ્રભાવક), (૫) તપસ્વી પ્રભાવક, ) વિદ્યા પ્રભાવક, (૭) સિદ્ધ પ્રભાવક (અથવા વ્રતાચરણ પ્રભાવક), (૮) કવિ પ્રભાવક. શાસ્ત્રગ્રન્થોમાં કહ્યું છે : पावयणी धम्मकही, વાઈ નિમત્તિમો તવણી જા विज्जा सिद्धो य कवि, अद्वैव पभावगा भणिया।। (પાવયણી એટલે કે પ્રવચન કરનાર, ધર્મકથી એટલે ધર્મકથા કરનાર, વાદી, નિમિત્તક, તપસ્વી, વિદ્યાના જાણકાર, સિદ્ધ અને કવિ એમ આઠ પ્રકારના પ્રભાવક કહેવામાં આવ્યા છે.) અન્ય મતાનુસાર આઠ પ્રકારના પ્રભાવકોમાં “અતિશેષદ્ધિ પ્રભાવક” અને “રાજગણસંમત પ્રભાવક' એવા બે પ્રકારો પણ ગણવામાં આવ્યા છે. પ્રવચન-સારોદ્ધારમાં કહ્યું છે : आइसेस इड्ढि धम्मकही, वाई आयरिय खवग नमिती। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy