SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવના ૧૧૭ એવી ભાવદયા દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના થાય છે, જે ધર્મપ્રભાવનાના મૂળમાં રહેલી છે. પોતપોતાના ધર્મનો પ્રચાર કરવાનું સૌ કોઈને ગમે. પોતાના ધર્મમાં અન્ય લોકોને રસ લેતા જોઈને અથવા પોતાનો ધર્મ સ્વીકારતા અને આચરતા જોઈને સૌ કોઈને આનંદ થાય એ સ્વાભાવિક છે. દુનિયામાં બધા જ ધર્મો સમાન, એકસરખા છે, એમ કહેવું તત્ત્વની દૃષ્ટિએ યોગ્ય નથી. દરેક ધર્મને પોતાની કંઈક વિશેષતા હશે, તોપણ માત્ર વ્યાવહારિક સદાચારની ભૂમિકાથી માંડીને આત્મહત્ત્વની ઊંડી વિચારણા સુધી જનારા ધર્મો ઘણા ઓછા છે. તેમાં પણ સમગ્ર જીવનસૃષ્ટિને આવરી લેનાર, સંસારની સમગ્ર ઘટનાઓનો સકારણ પ્રતીતિકર ખુલાસો આપનાર, આત્મતત્ત્વની ગહન વિચારણા કરનાર ધર્મ વિરલ છે. ધર્મનો પ્રચાર થાય એ ગમતી વાત છે, પરંતુ પ્રચાર' શબ્દ બીજા વિશ્વયુદ્ધ પછી વર્તમાન સમયમાં કંઈક વગોવાયેલો છે. અસત્યનું વારંવાર પુનરુચ્ચારણ કરવાથી તે સત્ય જેવું ભાસે છે એવી પ્રચારની યુદ્ધનીતિ જાણીતી છે. જગતમાં કેટલાક ધર્મોનો ફેલાવો તલવારના જોરે કે બંદૂકની અણીએ થયો છે. બળજબરીથી થયેલી ધર્મની વટાળપ્રવૃત્તિ ઇતિહાસે જોઈ છે. અન્ય ધર્મીઓની જ્યારે સામુદાયિક કતલ કરવામાં આવી છે ત્યારે પોતાના પ્રાણ બચાવવાને માટે માણસે ધર્માન્તર કર્યું છે. ક્યારેક રાજાનો ધર્મ પ્રજાએ સ્વીકાર્યો છે અને રાજા ધર્માન્તર કરે ત્યારે પ્રજા પણ ધર્માન્તર કરે એવી ઘટનાઓ પણ બની છે. ગરીબ, અજ્ઞાન લોકોને પૈસા અને ચીજવસ્તુઓ દ્વારા લલચાવીને તેમની પાસે ધર્માન્તર કરાવવામાં આવ્યું હોય એવા ઘણા દાખલા છે. ધર્મપ્રચારમાં અસત્યનો, અનીતિનો, લાલચનો, છેતરપિંડીનો, ત્રાસવાદનો આશ્રય પણ કેટલીક વાર લેવાયો છે. આવી રીતે થતો ધર્મપ્રચાર વ્યાપક ભલે ગમે તેટલો થાય, પરંતુ તેમાં ઊંડાણ નથી હોતું. એ આચરનારા લોકો પણ સપાટી પરનું ધર્માચરણ કરતા હોય છે. પોતાના ધર્મનો પ્રચાર પ્રામાણિકતાથી કરવામાં આવે એને માટે “પ્રચાર” શબ્દ કરતાં “પ્રસાર' શબ્દ વધુ યોગ્ય છે. પરંતુ ક્યારેક એમાં સંખ્યા વધારવાની લાલચમાં ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો ભોગ અપાય છે. અનેક લોકો પ્રેમથી ધર્મ સ્વીકારે છે, પરંતુ એના હાર્દ સુધી ઓછા લોકો પહોંચે છે. રાજ્યસત્તાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy