SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭. જિનતત્ત્વ સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિનું શુદ્ધ પાલન કરવું તે ચારિત્રાચાર છે. (૪) આત્મકલ્યાણને માટે બાર પ્રકારનું તપ યથાશક્તિ કરતાં રહીને કર્મની નિર્જરા કરવી તે તપાચાર છે. (૫) ધર્મકરણીમાં શક્ય તેટલી શક્તિ સ્કરાવવી તે વિર્યાચાર છે. દર્શનાચારના આઠ પ્રકાર શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે બતાવ્યા છે : 'निस्संकिअ निक्कंखि निव्वतिगिच्छा अमूढ दिअि; उपवुह थिरीकरणे, वच्छल पभावणे अठ.' (૧) નિઃશક્તિ – જિનવચનમાં સંશય ન રાખવો. (૨) નિઃકાંતિ – અન્ય મિથ્યા દર્શનોની આકાંક્ષા ન કરવી. (૩) નિર્વિચિકિત્સા - સાધુઓનાં મલિન વસ્ત્રાદિ જોઈ દુર્ગછા ન કરવી, જુગુપ્સા ન કરવી અથવા ધર્મના ફળ વિશે સંશય ન કરવો. (૪) અમૂઢતા – વિદ્યાવંત કીર્થિકની ઋદ્ધિ કે ઠાઠમાઠ દેખીને ચલિત ન થઈ જવું. (૫) ઉપબૃહણા – સાધર્મિક જીવોના દાનશીલાદિ સદ્ગણોની પ્રશંસા, અનુમોદના કરવી અને તેના સગુણોની વૃદ્ધિ થાય તેમ કરવું. (૩) સ્થિરીકરણ – ધર્મમાંથી ચલિત થવા જતા જીવોને ધર્મમાર્ગમાં પુનઃ સ્થિર કરવા. (૭) વાત્સલ્ય – સાધર્મિકોની ભોજનવસ્ત્રાદિ દ્વારા બહુમાનપૂર્વક ભક્તિ કરવી અને તેમનું વત્સલતાથી હિત ચિંતવવું. (૮) પ્રભાવના – પ્રવચન, ધર્મકથા, વાદવિજય, દુષ્કર તપ વગેરે કરવા દ્વારા ધર્મનો પ્રભાવ વધારવો. એવાં કાર્યો કરવાં કે જેથી અન્ય લોકો પણ ધર્મની પ્રશંસા, અનુમોદના કરે અને ધર્મનું આલંબન સ્વીકારવા પ્રેરાય. ધર્મની પ્રભાવના સર્વોત્તમ રીતે તો તીર્થંકર પરમાત્મા જ કરતા હોય છે. એમની અનુપસ્થિતિમાં પ્રભાવક આચાર્ય ભગવંતો, પ્રભાવક ઉપાધ્યાય ભગવંતો, પ્રભાવક સાધુ ભગવંતો વગેરે ધર્મનો ઘણો સારો પ્રભાવ કરે છે. પ્રભાવનાનો સમ્યકત્વ સાથે સંબંધ છે. સમકિતના સડસઠ બોલમાં પ્રભાવનાનો નિર્દેશ બે વખત કરવામાં આવ્યો છે. સમકિતનાં પાંચ ભૂષણમાંનું એક ભૂષણ તે પ્રભાવના છે. આ દર્શાવે છે કે સ્વ-પર ઉપકારક એવી પ્રભાવનાનું મહત્ત્વ કેટલું બધું છે. પ્રભાવના એટલા માટે તીર્થંકર નામકર્મના કારણરૂપ મનાય છે. “જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy