SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવના ૧૧૯ विज्जा रायगणसम्मया, ય તીથ્ય માર્વતિા. અતિશેષદ્ધિ એટલે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ધરાવનાર તથા આકર્ષ ઔષધિ આદિ અતિશય સમૃદ્ધિ ધરાવનાર પ્રભાવક. રાજસંમત એટલે રાજાની પ્રીતિવાળા અને ગણસંમત એટલે મહાજનના બહુમાનવાળા પ્રભાવક. વર્તમાન સમયમાં અતિશેષદ્ધિના પ્રકારના પ્રભાવકો જોવા મળતા નથી. આ જુદા જુદા પ્રકારના પ્રભાવકોમાં વર્તમાન સમયમાં તેવા પ્રકારની શક્તિ વિશેષ ન હોવાને કારણે અથવા તેવા પ્રકારનાં પ્રયોજનો કે પ્રસંગો ના હોવાને કારણે નિમિત્ત પ્રભાવક, વિદ્યા પ્રભાવક, સિદ્ધ પ્રભાવક જેવા પ્રકારના પ્રભાવકો હવે જોવા મળતા નથી. આ બધા પ્રભાવકોમાં પ્રવચન પ્રભાવકનું મહત્ત્વ ઘણું મોટું છે, કારણ કે અન્ય કેટલાક પ્રભાવકોથી બાલજીવો આકર્ષાય છે, પરંતુ બાલજીવો સહિત બુદ્ધિશાળી જીવો તો પ્રવચન પ્રભાવકથી જ વધુ આકર્ષાય. સાચી વ્યક્તિના અંતરમાં વિસ્મય કે ચમત્કારથી નહિ, પરંતુ બુદ્ધિપૂર્વકની તર્કસંગત આંતરપ્રતીતિ દ્વારા પ્રવચન પ્રભાવકો ધર્મનાં બીજ-મૂળ ઊંડાં વાવી શકે છે. જેમ પ્રવચન પ્રભાવકોની સંખ્યા મોટી તેમ ધર્મનો પ્રચાર અને પ્રભાવ વિશેષ થઈ શકે; પરંતુ પ્રવચન પ્રભાવક બનવા માટે દેશવિરતિમય કે સર્વવિરતિમય નિરતિચાર સંયમી જીવન અને દર્શનવિશુદ્ધિની સાથે સાથે પ્રવચનના મર્મને જાણવાની વિશિષ્ટ શક્તિની અપેક્ષા રહે છે. જે બધામાં હોઈ ન શકે. પ્રવચન એટલે દ્વાદશાંગી. જિનેશ્વર ભગવાનની દેશનાને ગણધરો દ્વાદશાંગીમાં ગૂંથી લે છે. આ આગમોના અર્થ અને ગૂઢ રહસ્યને જાણનારા યુગપ્રધાન આચાર્યો પોતાનાં વ્યાખ્યાનો દ્વારા અનેક જીવોને બોધ પમાડે છે. પ્રવચન પ્રભાવનાનો દર્શનવિશુદ્ધિ સાથે અવિનાભાવ સંબંધ છે. એટલે કે એક ન હોય તો બીજું પણ ન હોય. દર્શનવિશુદ્ધિ ન હોય તો પ્રવચન પ્રભાવના પણ ન જ હોય. કેટલાક મહાત્માઓ પાસે એવી ઉપદેશલબ્ધિ હોય છે કે એમનો ઉપદેશ સાંભળતાં જ બીજાનાં જીવન ઉપર ઘણી ઊંડી અસર પડે છે. વજસ્વામી પાસે અને બીજા પણ અનેક મહાત્માઓ પાસે એવી ઉપદેશલબ્ધિ હતી. જેઓ ધર્મકથા દ્વારા શ્રોતાને ધર્મના રંગે રંગી ધર્મશ્રદ્ધા ઉપજાવે અને ધર્મબોધમાં સ્થિર કરી શકે તેઓ ધર્મકથક નામના પ્રભાવક કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy