SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ વીસ વિહરમાન તીર્થંકરોમાં કેટલાંક લાંછન સમાન છે, પરંતુ તે જુદા જુદા પાંચ મહાવિદેહનાં હોવાથી જુદાં ગણાવી શકાય. ૧૧૦ અજિતનાથ ભગવાનના સમયમાં પાંચેય ભરત, પાંચેય ઐરાવત અને પાંચેય મહાવિદેહક્ષેત્રમાં મળીને કુલ ૧૭૦ તીર્થંકરો એક જ સમયે વિચરતા હતા. તો એ બધા તીર્થંકરોનાં બધાં જ લાંછન જુદાં જુદાં નહોતાં. એટલે કે કુલ ૧૭૦ જેટલાં જુદાં જુદાં લાંછનો હતાં એવું નથી. અલબત્ત એ બધાં તીર્થંકરોનાં લાંછનોની સંપૂર્ણ માહિતી આપણને મળતી નથી. પરંતુ વર્તમાન સમયના વીસ વિહરમાન તીર્થંકરોનાં લાંછનોમાંથી ઉપર દર્શાવ્યું તેમ કેટલાંક લાંછનો એક કરતાં વધુ તીર્થંકરોનાં છે. એ ઉ૫૨થી પણ સ્પષ્ટ થાય છે કે સર્વકાળને માટે દરેક તીર્થંકરનું જુદું જુદું અનન્ય લાંછન હોવું જોઈએ એવું અનિવાર્ય નથી. પરંતુ પોતપોતાના ક્ષેત્ર અનુસાર અનન્ય હોય છે. ઋષભ, ચંદ્રાનન, વર્ધમાન અને વારિષણ એ ચાર તીર્થંકરો શાશ્વત મનાય છે. એટલે કે એમાંના જે કોઈ તીર્થંકરો નિર્વાણ પામે કે તરત તે નામના બીજા તીર્થંકરો થાય છે. એ ચારે તીર્થંકરોનાં લાંછન પણ એના એ જ શાશ્વત રહે છે એવી માન્યતા છે. જોકે આ વિશે જ્ઞાની ભગવંતો તરફથી વધુ પ્રકાશ પડવાની અપેક્ષા રહે છે, કારણ કે શાશ્વત જિનની પ્રતિમાઓનાં લાંછનમાં ક્યાંક ફરક જોવા મળે છે. અતીત અને અનાગત ચોવીશીના તીર્થંકરોનાં લાંછનો વર્તમાન ચોવીશીના ઊલટા ક્રમે હોય છે. ઉ.ત. ચોવીસમા શ્રી મહાવીરસ્વામીનું લાંછન સિંહ છે તો આવતી ચોવીસીના પહેલા તીર્થંકર શ્રી પદ્મનાથ ભગવાનનું લાંછન સિંહ છે. ભારતીય સંસ્કૃતિમાં જૈન, હિન્દુ, બૌદ્ધ, દેવદેવીઓની સંખ્યાનો કોઈ પાર નથી. દેવ કે દેવીની મુખાકૃતિ તો શિલ્પીઓ પોતાની કલા અનુસાર લગભગ સરખી બનાવે. એકલી મુખાકૃતિઓ પરથી દેવો કે દેવીઓને ઓળખવાનું સરળ નથી. પરંતુ દેવ-દેવીનાં વાહન, આયુધ તથા અન્ય ઉપકરણ દ્વારા તેમને ઓળખવાનું સરળ થઈ પડે છે. વાઘ, સિંહ, પાડો, કાચબો, ઊંદર, હંસ, મોર, ગરુડ, હાથી, બળદ વગેરે પશુ-પક્ષી વાહન તરીકે જોવા મળે છે. કેટલાંક દેવ-દેવીનાં વાહન સમાન હોય છે પણ એમનાં આયુધ કે ઉપકરણ ઉપરથી તેમની ઓળખ નક્કી થઈ શકે છે. હાથમાં કમળ, પુસ્તક, માળા, શંખ, ચક્ર, વીણા, પાશ, ભાલો, ધનુષ્ય, ફરસી, ત્રિશૂલ વગેરેમાંથી શું શું છે, કેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy