SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ લાંછન છે છે. પાંચમા સુમતિનાથ ભગવાનનું લાંછન શ્વેતામ્બર પરંપરા પ્રમાણે ક્રૌંચ પક્ષી અને દિગમ્બર પરંપરા પ્રમાણે ચક્રવાક પક્ષી છે. દસમા શીતલનાથ ભગવાનનું લાંછન શ્વેતામ્બર પરંપરા પ્રમાણે શ્રીવત્સ છે અને દિગમ્બર પરંપરા પ્રમાણે કલ્પવૃક્ષ છે. ચૌદમાં અનંતનાથ ભગવાનનું લાંછન શ્વેતામ્બર પરંપરા પ્રમાણે બાજ પક્ષી છે અને દિગમ્બર પરંપરા પ્રમાણે શાહુડી છે. અઢારમા અરનાથ ભગવાનનું લાંછન શ્વેતામ્બર પરંપરા પ્રમાણે નંદ્યાવર્ત છે અને દિગમ્બર પરંપરા પ્રમાણે મત્સ્ય છે. આ ઉપરાંત બીજાં બે લાંછનમાં પણ બંને પરંપરા વચ્ચે સહેજ ફરક છે. પંદરમા ધર્મનાથ ભગવાનનું લાંછન શ્વેતામ્બર પરંપરા પ્રમાણે વજ્ર છે અને દિગમ્બર પરંપરા પ્રમાણે વજદંડ છે. વળી એકવીસમા મિનાથ ભગવાનનું લાંછન શ્વેતામ્બર પરંપરા પ્રમાણે નીલકમળ છે અને દિગમ્બર પરંપરા પ્રમાણે રક્તકમળ છે. દરેક તીર્થંકરના શરીર ઉ૫૨ અદ્વિતીય (અર્થાત્ અન્ય કોઈ તીર્થંકરના શરીરમાં ન હોય એવું) સર્વથા જુદું જ લાંછન હોય એવું નથી. અલબત્ત, વર્તમાન ચોવીસીના ચોવીસે તીર્થંકરોનાં બધાનાં લાંછન જુદાં જુદાં છે, પરંતુ વીસ વિહરમાન જિનેશ્વરોમાં બળદ, હાથી, સૂર્ય, ચંદ્ર, કમળ જેવાં લાંછન એક કરતાં વધારે તીર્થંકરોનાં છે. નીચેની યાદી ઉપરથી એ સ્પષ્ટ થશે. મહાવિદેહ ક્ષેત્રમાં હાલ વિચરતા વીસ વિહરમાન તીર્થંકરોનાં લાંછન નીચે પ્રમાણે છે : (૧) સીમંધર - બળદ; (૨) યુગમંધર (યુગંધર) - હાથી; (૩) બાજિન - હરણ; (૪) સુબાહુ - વાંદરો; (૫) સુજાત - સૂર્ય; (૬) સ્વયંપ્રભ ચંદ્ર; (૭) ઋષભાનન સિંહ; (૮) અનંતવીર્ય- હાથી; (૯) સુરપ્રભ - ઘોડો; (૧૦) વિશાલ - સૂર્ય; (૧૧) વજ્રધર - શંખ; (૧૨) ચંદ્રાનન - બળદ; (૧૩) ચંદ્રબાહુ - કમળ; (૧૪) ભુજંગ - કમળ; ૯૧૫) ઈશ્વર - ચંદ્ર; (૧૭) નેમિપ્રભ - સૂર્ય; (૧૭) વીરસેન [વારિષણ] - બળદ; (૧૮) મહાભદ્ર હાથી; (૧૯) ચન્દ્રયશા - ચન્દ્ર; (૨૦) અજિતવીર્ય - સ્વસ્તિક. ‘વિવિધ પ્રશ્નોત્તરમાં વિહરમાન જિનેશ્વરોનાં લાંછન ગણાવતાં લખ્યું છે: वसह गय हरिण कपि रवि ससि सिंह करी य चंदमाणू य । संखो वसहो कमलो कमलो ससि सूर वसहो य हत्थि य चन्दो सत्थिय ।। (આ યાદી પ્રમાણે સૂરપ્રભ તીર્થંકરનું લાંછન ઘોડો નહિ પણ ચન્દ્ર છે.) - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy