SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ નિસ્બત ‘અમારા ઘરનું બહારનું આટલું મોટું સુશોભન જોઈને કોઈને જિજ્ઞાસા પણ થઈ નથી ?' શા માટે થાય ? બીજાની પંચાત કરવાની કોને ફુરસદ છે ? સૌ પોતપોતાના • જીવનમાં પૂરાં વ્યસ્ત અને સુખી છે.' કર્ટના જવાબથી હવે બહુ આશ્ચર્ય થાય એવું નહોતું. છત્રીસ કુટુંબો વચ્ચે વીસેક દિવસમાં બે મહત્ત્વની ઘટનાઓ બની. એક મૃત્યુની અને બીજી જન્મની. સંકુલની કુલ વસ્તી જેટલી હતી તેટલી જ હવે રહી. જીવનના બે અંતિમ છેડાની મોટી ઘટનાઓ બની–મૃત્યુના સંતાપની અને જન્મોત્સવની અને છતાં અહીં સામુદાયિક જીવન ઉપર એનો કશો જ પ્રતિભાવ પડ્યો નહિ. આર્થિક સ્વાધીનતા અને ભૌતિક સમૃદ્ધિ માણસ અને માણસ વચ્ચે એક એવી સૂક્ષ્મ દીવાલ ભી કરી દે છે કે જાણે કોઈને કોઈની • નિસ્બત ન હોય ! નાશોના વેલી એપાર્ટમેન્ટ્સમાં અમે જેવું જોયું અને અનુભવ્યું તેવું અમેરિકામાં બધે જ બને છે એવું નથી. દુનિયામાં દરેક પ્રદેશની વિવિધ પ્રકારની જીવનપદ્ધતિ હોય છે અને તેમાં કાલાન્તરે પરિવર્તનો પણ થયા કરે છે. દુનિયામાં વસ્તીનું પ્રમાણ, આર્થિક સ્થિતિ વગેરે બધે જ એકસરખાં ન રહે, ગીચ વસ્તી, અતિ સંસર્ગ, નબળી આર્થિક સ્થિતિ હોય કે ઓછી વસતી, અલ્પ સંસર્ગ અને સુરક્ષિત સાધનસંપન્ન જીવન હોય – દરેકની લાક્ષણિક્તાઓ અને સમસ્યાઓ ભિન્ન ભિન્ન હોય છે. એમાં કેટલાક લાભ છે અને કેટલાક ગેરલાભ. વળી એકના લાભ તે બીજાને ગેરલાભ જેવા પણ લાગે. વસ્તુત: પ્રાપ્ત થયેલી પરિસ્થિતિથી મનુષ્ય ક્રમે ક્રમે ટેવાઈ જાય છે. મનુષ્યજીવનમાં રહેલું સ્થિતિસ્થાપકતાનું લક્ષણ અજબગજબનું છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy