SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સહરાના રણમાં ૪૭ વધારે છે. પરંતુ પૃથ્વી ઉપર જેટલી જમીન છે એના પ્રમાણમાં સરેરાશ વસ્તી વધારે નથી. સહરાનો રણપ્રદેશ, ઑસ્ટ્રેલિયાનો રણપ્રદેશ, ગોબીનો રણપ્રદેશ તથા બીજાં નાનાંમોટાં રણો ફળદ્રુપ બનાવી શકાય અને માનવવસ્તીને ત્યાં વસાવી શકાય તો વસ્તીનો પ્રશ્ન ઘણો હળવો બની જાય. વૈજ્ઞાનિક સંશોધન, આર્થિક સહકાર અને રાજદ્વારી દૂરંદેશી ધારે તો રણોને ફળદ્રુપ બનાવવામાં ઘણો ફાળો આપી શકે. પરંતુ બીજી બાજુ અમને રણ પોસાશે, પણ બહારનાં બીજાં રાષ્ટ્રોની વસ્તી નહિ પોસાય. અમને ગરીબી પોસાશે પણ અમારી આનુવંશિક સાંસ્કૃતિક લાક્ષણિકતાનો લોપ નહિ પોષાય'—એવી વૃત્તિ જ્યાં સુધી દુનિયાનાં જુદાં જુદાં રાષ્ટ્રોની રહેશે, ત્યાં સુધી વસ્તીનો પ્રશ્ન સહેલાઈથી હળવો નહિ થાય. એકવીસમી સદીના અંત સુધીમાં માનવજાતે આ દિશામાં કેટલી પ્રગતિ કરી હશે તે કોણ કહી શકે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy