SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ યોસેમિટી ૨૩૫ પ્રિય ક્ષેત્ર રહ્યા કર્યું છે. ત્રણ હજાર વર્ષ પૂર્વે અહીં માનવજાતિ વસતી હતી એનાં નિશ્ચિત પ્રમાણો મળે છે. હાલ આ વિસ્તારમાં જે આદિવાસીઓ રહે છે તેઓના હજાર-બારસો વર્ષ પૂર્વેના વડવાઓ આહવાહનીચી' તરીકે ઓળખાતા હતા. તેઓએ પોતાની ભાષામાં આ ખીણને આપેલું નામ તે આહવાહની' છે. એનો અર્થ થાય છે ખુલ્લું મોટું. ત્રણ બાજુ પર્વતો અને વચ્ચે ખીણ જેવો પ્રદેશ તેઓને ખુલ્લા મોઢા જેવો લાગતો હશે. એટલે આ પ્રદેશનું નામ પડ્યું “આહવાહની'. અને “આહવાહની'માં રહેતા લોકો તે કહેવાયા આહવાહનીચી'. આ પ્રજાના વંશજો આજે પણ ત્યાં વિદ્યમાન છે અને તેઓ જુદા જુદા નામથી ઓળખાય છે. અમેરિકાના પશ્ચિમ વિભાગમાં આ પ્રદેશ આવેલો હોવાથી પેસિફિક મહાસાગરના કિનારે આવેલાં ગામો સાથે તેઓનો સંબંધ વધુ રહ્યો છે. “આહવાહનીચીમાંથી વખત જતાં ‘મિવોક’, ‘પાયુતે' તેનાયા' વગેરે ઈન્ડિયન પ્રજાઓ ઊતરી આવી. કેલિફોર્નિયામાં અને બાજુના નેવાડા રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં આ આદિવાસીઓ હજુ પણ જોવા મળે છે. યોસેમિટીના પ્રદેશમાં પોતાનું શાન્ત જીવન જીવતા રેડ ઇન્ડિયન આદિવાસીઓને માટે આપત્તિ આવી પડી ઈ.સ. ૧૮૪૮માં. તે સમયે સિએરા નેવાડા વિસ્તારમાંથી સોનું મળી આવ્યું. એથી અનેક સ્પેનિશ સાહસિકો સોનું મેળવવા આ પ્રદેશમાં ધસી આવ્યા. આદિવાસીઓને પરાયા લોકોની પોતાના પ્રદેશમાં ઘૂસણખોરી ગમી નહિ. સંઘર્ષ થયો. તેઓએ બે ગોરા માણસોને મારી નાખ્યા. એથી સ્પેનિશ લોકો સાવચેત બની ગયા. ગોરાઓના રક્ષણ માટે અને આ પ્રદેશ પર વર્ચસ્વ જમાવવા માટે તેઓએ એક લશ્કરી ટુકડી તૈયાર કરી. મારિપોસામાં સૈનિકોનું વડું મથક સ્થપાયું. એમની બેટેલિયને ક્રમે ક્રમે આગળ વધી ત્રણ વર્ષમાં આખી ખીણનો કબજો લઈ લીધો. આહવાહનીચી લોકોને ખીણમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેઓએ આહવાહનીનું નામ યોસેમિટી' રાખ્યું. ફરી કનડગત ન થાય એ માટે આ યુદ્ધને અંતે આદિવાસીઓ અને ગોરાઓ વચ્ચે એવા સુલેહકરાર થયા કે શિયાળાની ઠંડીમાં જ્યારે ગોરાઓ નીકળી ગયા હોય ત્યારે ઈન્ડિયનો ત્યાં જઈ શકે. યોસેમિટીના ક્ષેત્રમાં ત્યાર પછી રેલગાડી આવી, રસ્તાઓ બન્યા, હોટેલો થઈ. બહારના લોકોનું આવાગમન જેમ જેમ વધતું ગયું તેમ તેમ આહવાહનીચી લોકો આઘા ને આઘા ખસતા ગયા. તેમાં તેઓની તેનાયા જાતિના નાયકનું મૃત્યુ થતાં તેઓ વેરવિખેર થતા ગયા. એમ કરતાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં યોસેમિટી પ્રદશ ઉપર ગોરા લોકોનું સંપૂર્ણ વર્ચસ્વ જામી ગયું. અમે યોસેમિટીના ખીણવિસ્તારમાં જુદા જુદા ધોધ જ્યાં પડે છે તેવા કેટલાક મહત્ત્વના ધોધ નીચેથી જોયા. યોસેમિટી પાર્કના વિસ્તારમાં ૬૦ કરતાં વધુ ધોધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy