SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પાસપૉર્ટની પાંખે – ઉત્તરાલેખન ગયો. એ યોસેમિટી ખીણનો વિસ્તાર હતો. ત્રણ બાજુ ઊંચા પર્વતોની વચ્ચે, અનેક વિશાળ ઉત્તુંગ વૃક્ષોથી છવાયેલો ખીણવિસ્તાર મન હરી લે એવો છે. ત્યાં માહિતીકેન્દ્ર છે, આધુનિક બીજી સગવડો છે, છતાં ઘણી સગવડો હેતુપૂર્વક નથી કરવામાં આવી કે જેથી પાર્કનું અસલ કુદરતી સ્વરૂપ જળવાઈ રહે. એ જાળવવા માટે મોટી ઝુંબેશ ઉપાડનાર અને યોસેમિટીને ‘નૅશનલ પાર્ક' તરીકે જાહેર કરાવી, શિકાર, વૃક્ષો કાપવાં વગેરે પર સરકાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં સફળ થનાર તે સુપ્રસિદ્ધ અમેરિકન પ્રવાસલેખક અને ચિંતક જ્હોન મૂર (John Muir) હતા. જ્હોન મૂર અમેરિકાના પ્રકૃતિવિશારદ, શોધસફરી અને પર્વતારોહક હતા. તેઓ અલાસ્કા સહિત ઉત્તર અમેરિકામાં, લૅટિન અમેરિકામાં તથા અન્ય પ્રદેશોમાં ઘણું રખડ્યા હતા. એમણે પોતાના પ્રવાસના અનુભવોનાં કેટલાંક પુસ્તકો લખ્યાં છે જેમાં `Thousand Mile walk in the Gulf` જાણીતું છે. તેમણે ધણી દુનિયા જોઈ હતી, પણ ૧૮૬૮માં તેઓ યોસેમિટીમાં આવ્યા ત્યારે તેઓ એના નૈસર્ગિક વાતાવરણથી અત્યંત પ્રભાવિત થઈ ગયા. તેઓ યોસેમિટી પાછળ ગાંડા થઈ ગયા એમ જ કહેવાય. તેમણે યોસેમિટીને જ પોતાનું નિવાસસ્થાન બનાવી દીધું. ૧૯૧૪માં ૭૬ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા ત્યાં સુધી તેઓ યોસેમિટીમાં જ રહ્યા. યોસેમિટીના પ્રાકૃતિક પર્યાવરણને બચાવી લેવામાં તેમનો ફાળો સૌથી મોટો અને મહત્ત્વનો હતો. તેમને સાથ આપનાર ગેલન ક્લાર્ક પણ હતા. તેઓ પણ ત્રણ દાયકાથી અધિક સમય આ પ્રદેશમાં રહ્યા હતા. જ્હોન મૂર આ પ્રદેશનાં પોતાનાં સંસ્મરણો, અવલોકનો, નોધ વગેરે લખતા રહ્યા હતા. એ વાંચતાં જ પ્રતીતિ થાય કે કોઈ શાંતિપ્રિય, અધ્યાત્મરસિક કવિનો જીવ તેઓ હોવા જોઈએ. તેમણે યોસેમિટીને ‘પ્રકૃતિના ભવ્ય મંદિર’ તરીકે બિરદાવેલું છે. તેમણે ઈ.સ. ૧૮૭૧માં અમેરિકન ચિંતક ઇમર્સનને લખ્યું હતું, ‘‘યોસેમિટી એ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાની એક અદ્ભુત પ્રયોગશાળા છે. હું તમને યોસેમિટીમાં એક મહિના માટે પધારવાનું નિમંત્રણ આપું છું. એ માટે તમારે સમય આપવા સિવાય બીજું કંઈ પણ ખર્ચ કરવાનું નહિ રહે. સમયનું ખર્ચ પણ અહીં ઓછું થશે કારણ કે ઘણોખરો વખત તમે અનંતતામાં વિહરતા હશો.'' જ્હોન મૂર જેવી વ્યક્તિ ઇમર્સન જેવા ચિંતકને એવી લાક્ષણિક રીતે લખે તો એ પરથી યોસેમિટીનો પ્રદેશ કેવો હશે એની આપણને ખાતરી થાય. અલબત્ત, એક પર્યટનકેન્દ્ર બનવાને કારણે યોસેમિટીમાં લોકોની અવરજવર ઘણી બધી વધી જવાથી, જ્હોન મૂરના સમયનું વાતાવરણ મુખ્ય માર્ગો પર રહ્યું નથી તોપણ એ માર્ગોથી થોડા આધે એકાન્ત સ્થળમાં થોડા દિવસ રહેવા મળે તો એવા પ્રેરક અનુભવો જરૂર આજે પણ થાય. યોસેમિટી એટલે પ્રાચીન કાળના ઋષિમુનિઓ પસંદ કરે એવું એક સુરમ્ય, સુશાના સાધનાક્ષેત્ર. કેટલાક ઇતિહાસકારો કહે છે તેમ દસ હજાર વર્ષથી માનવજાતિનું આ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy