SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ મેવાસિંગનો બેટો | મોરિશિયસની બે અઠવાડિયાનો પ્રવાસ પૂરો કરી અને ભારત પાછા આવ્યા અને સૌ પોતપોતાના રોજિંદા જીવનમાં ગૂંથાઈ ગયા. ત્યાર પછી કેટલાક સમય પછી જાણવા મળ્યું હતું કે હૃદયરોગના ત્રીજા ભારે હુમલાને કારણે મેવાસિંગનું અવસાન થયું હતું. એમના અવસાનના સમાચાર અમારા માટે દુ:ખદ હતા, પરંતુ વધુ દુઃખદ સમાચાર એ હતા કે એમના અવસાનની પોતાને તરત ગંધ આવતાં રામુએ રોકકળ કરી મૂકી હતી. મેવાસિંગના શબને જ્યારે લઈ જવાયું ત્યારે એણે ઘરમાં બેબાકળા બનીને આમતેમ દોડાદોડ કરી મૂકી હતી. અને પછી થાકીને શાંત થયા પછી મેવાસિગે જ્યાં દેહ છોડ્યો ત્યાં એ દિવસ-રાત સૂનમૂન બેસી રહ્યો. વારંવાર આપવા છતાં ન એ કશું ખાય કે ન પીએ. એનું શરીર કરમાવા લાગ્યું અને સાતમે દિવસે રામુના જીવનનો પણ અંત આવ્યો. પિતા-પુત્રની એક વિરલ જોડીએ આ દુનિયામાંથી કાયમને માટે વિદાય લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy