SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન તેની આસપાસ તે સ્થિર થતી રહેતી હશે. આ વિસ્તારમાં તે ઠીક ઠીક સમય સ્થિર રહી હશે. સ્ટોનહેન્જની આસપાસના કેટલાક માઈલના વિસ્તારમાં ખોદકામ કરતાં પ્રાગૈતિહાસિક કાળની વર્તુળના આકારની અને લંબચોરસ આકારની કબરો (Barrows) મોટી સંખ્યામાં મળી આવી છે. આ કબ્રસ્તાન પરથી અનુમાન થાય છે કે આ વિસ્તારમાં ઘણા માણસોનો વસવાટ એ કાળે થયો હશે. ઇંગ્લેંડની ધરતી પરનો વિકસિત વસવાટ તો ઈસવી સનના આરંભ પછીનો છે. તો પછી એની પહેલાં ત્રણથી ચાર હજાર વર્ષ પૂર્વે આ મંદિર ત્યાં કેવી રીતે થયું હશે ? સ્ટોનહેન્જની સંસ્કૃતિ પછી ત્યાં અંધકારનો યુગ પ્રવત્યોં હશે ? એ પ્રજા ત્યાંની મૂળ પ્રજા હશે કે સ્થળાંતર કરતી કરતી ત્યાં પહોંચી હશે ? એ પ્રજાનું નામ શું ? એની ભાષા કઈ ? એનો ધર્મ કયો ? ભારતીય સંસ્કૃતિ સાથે એનો કોઈ સંબંધ હશે ? શું એ ખગોળવિદ્યાની જાણકાર હશે ? શું એ સૂર્યપ્રકાશના આધારે પડછાયાની ગણતરી કરીને કોઈ આગાહી કરતી હશે ? શું એની પાસે ભૌમિતિક આકૃતિઓની ઉપાસનાની પદ્ધતિ હશે ? શું એની પાસે ગુપ્ત રહસ્યમય તંત્રસાધના હશે ? – આવા આવા ઘણા પ્રશ્નો પાષાણયુગની, એ પ્રજા વિશે થાય છે. સ્ટોનહેન્જની રચના એણે ધમપાસના માટે કરી હશે એમ જણાય છે. એમાં કોઈ છત નથી. સાવ ખુલ્લી રચના છે. શું પહેલેથી જ એ પ્રમાણે હશે કે સમય જતાં છતના પથ્થરો તૂટી પડ્યા હશે ? શું હાલ જેવું હવામાન છે એવું જ ત્યારે ત્યાં હશે કે વધારે સારું અને અનુકૂળ હશે ? - આવા ઘણા પ્રશ્નો અનુત્તરિત જ રહે છે. આ વિસ્તારમાં ખોદકામ કરતાં પ્રાગૈતિહાસિક કાળનાં હાડકાં, પથ્થરો, કોલસો વગેરે પ્રકારના અવશેષો મળી આવ્યા છે. એ વિશે ઠીક ઠીક અભ્યાસ થયો છે. અહીંથી બે માઈલ દૂરની જગ્યાએથી મળેલા અવશેષો પરથી અનુમાન થાય છે કે આ પાષાણમંદિરની જેમ કાષ્ટમંદિર (Woodhenge) ત્યાં હશે કે જેનો ઉપયોગ ધર્મસભા તરીકે થતો હશે. કબ્રસ્તાન જેવી એક જગ્યામાંથી એક નાની ખોપરી મળી આવી છે, એ નાના બાળકની હોવી જોઈએ, પરંતુ એ ખોપરી ભાંગેલી મળી છે. સંશોધકો પ્રશ્ન કરે છે કે શું એ પ્રજા દેવદેવીની આરાધનામાં બાળકનો બલિ ચડાવતી હશે ? સ્ટોનહેન્જનો વિસ્તાર વિશાળ સપાટ મેદાનોનો છે. એ વિસ્તારમાં બ્રિટિશ સરકારે કોઈ ઊંચા મોટાં મકાનોનું બાંધકામ કરવા દીધું નથી કે જેથી સ્ટોનહેજ ઢંકાઈ જાય કે એનો પ્રાકૃતિક પરિવેશ કે એની નૈસર્ગિક શોભા મર્યાદિત થઈ જાય. લીલા ઘાસ અને ખુલ્લા આકાશને લીધે સ્ટોનહેન્જની આકૃતિ સવારસાંજના સૂર્યપ્રકાશમાં કે વાદળાંઓના વાતાવરણમાં વિવિધ શોભા ધારણ કરતી ઘણે દૂરથી દેખાય છે. સ્ટોનહેન્જમાં જોવાનું ઓછું અને સમય પૂરતો હતો એટલે અમારે ઉતાવળ કરવાની તો હતી જ નહિ. એની શિલાઓનું સંતોષપૂર્વક અવલોકન કરી અમે પાછા ફર્યા. સમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy