SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ટોનહેજ ૨૧૯ બધી શિલાઓ દીવાલની જેમ અડોઅડ નથી, પરંતુ બે અડોઅડ શિલા પછી એટલી જ જગ્યા ખાલી છોડી દેવામાં આવી છે. શિલાતંભો ઉપર આડી લંબચોરસ શિલાઓ વર્તુળાકારે અડોઅડ સળંગ ગોઠવેલી હશે. બે શિલાતંભ વચ્ચે દ્વાર જેવી થયેલી રચના નિહાળી શકાય છે એટલે કે કેટલીક આડી શિલાઓ બારસાખ તરીકે વપરાયેલી છે. સમગ્ર વર્તુળમાં એવાં ત્રીસ જેટલાં દ્વાર હશે એમ મનાય છે. આ મુખ્ય વર્તુળાકારની અંદર બીજી મોટી શિલાઓ ઘોડાની નાળના આકારે ગોઠવેલી છે. વર્તુળ અને નાળ બંનેનાં મુખ્ય પ્રવેશદ્વાર એક જ દિશામાં છે. આ આખી રચના કોઈ મંદિર જેવી લાગે છે. અંદરની નાળ જેવી રચના તે ગર્ભદ્વાર અને એની બહારનું વર્તુળ તે રંગમંડપ હશે એવો ભાસ થાય છે. આ બાંધકામમાં ઊભી લંબચોરસ શિલાઓ દસથી બાર ફૂટ ઊંચી છે. કેટલીક શિલાઓ નીચેથી સહેજ પહોળી અને ઉપર જતાં સાંકડી થાય છે. પાંચ-સાત ટનથી માંડીને વીસ-બાવીસ ટન સુધીના વજનવાળી શિલાઓ અહીં વપરાઈ છે. શિલાઓ કંઈક અણઘડ લાગે છે. સરખી ઘસીને એને સપાટ કરવામાં આવી હોય અથવા એના ઉપર કંઈક શિલ્પકામ, કોતરકામ થયું હોય એમ જણાતું નથી. કાળનો ઘસારો એને જરૂર લાગ્યો હશે, તો પણ શિલ્પાદિના કોઈ અણસાર તેમાં જોવા મળતા નથી. પુરાતત્ત્વવિદો આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી આ પથ્થરોની પ્રાચીનતા વિશે સંશોધન કરીને જણાવે છે કે સ્ટોનહેજનું આ બાંધકામ સહેજે પાંચથી છ હજાર વર્ષ જેટલું પ્રાચીન છે. કદાચ એમાં થોડા સૈકા વધારે કે ઓછા હોઈ શકે. આ બાંધકામમાં જુદા જુદા તબક્કે જણદ્ધાર કે વૃદ્ધિ પણ કદાચ થયાં હોય. યુરોપમાં ગ્રીસ અને રોમની સંસ્કૃતિ ત્રણ હજાર વર્ષ જેટલી પ્રાચીન મનાય છે, પણ સ્ટોનહેન્જની સંસ્કૃતિ તો એથી પણ ઘણી બધી પ્રાચીન હશે એ નિશ્ચિત છે. કદાચ વેદકાલીન ભારતીય સંસ્કૃતિની સમકાલીન આ સંસ્કૃતિ હશે. પાષાણયુગની સ્ટોનહેન્જની સંસ્કૃતિ વિશે આધારભૂત માહિતી આપણને ખાસ મળતી નથી, પણ સંશોધકોએ સંશોધન કરી પોતાનાં તારણો જે આપ્યાં છે તે પરથી મનાય છે કે તે કાળની પ્રજા પાસે પોતાની પરંપરાનું વિશિષ્ટ જ્ઞાન હશે, પોતાની ઈજનેરી વિદ્યા હશે અને તેઓ સારી શારીરિક શક્તિ ધરાવતા હશે, અહીં વપરાયેલા રેતાળ પથ્થરો અને ભૂરા-ભૂખરા પથ્થરો તેઓ આસપાસથી લાવ્યા હશે. કેટલાક પથ્થરો દોઢસો-બસો માઈલ દૂરના ડુંગરાઓમાંથી ઘસડી લાવ્યા હશે, જે માટે તેમની પાસે ઘણી સારી શારીરિક તાકાત હશે. એ લાવવામાં તેઓને કેટલો શ્રમ પડ્યો હશે, કેટલા દિવસ લાગ્યા હશે, કેટલા માણસો કામે લગાડ્યા હશે એનો કોઈ આધારભૂત અંદાજ મળતો નથી. એટલું નક્કી છે કે ઊભી શિલાઓ ઉપર આટલી ભારે શિલાઓ ચડાવવા માટે તેમની પાસે કોઈ પદ્ધતિ હશે. એ પ્રજા રખડુ હશે. એને ખેતી નહિ આવડતી હોય. વનસ્પતિ અને શિકાર પર તે નભતી હશે અને જ્યાં પાણી મળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy