SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન કવાઈ નદી સુધીનો રસ્તો ચારેક કલાકનો હતો. અમે બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં છાપાંઓમાં આવતા અહેવાલોને અને The Bridge on the RiverKwai ચલચિત્રનાં દશ્યોને સ્મૃતિપટ પર તાજાં કરવા લાગ્યા. યાદ રહી જાય એવું સરસ એ ચલચિત્ર હતું. એમાં બતાવ્યા પ્રમાણે જાપાને સિયામમાં હજારો સૈનિકોને કેદ કર્યા છે. ઠેર ઠેર યુદ્ધકેદીઓની છાવણીઓ સ્થપાઈ ગઈ છે. યુદ્ધકેદીઓને ખવડાવવાની જવાબદારી વિજયી સેનાધિપતિની હોય છે. બીજી બાજુ તે સૈનિકો પાસે સખત મજૂરી પણ કરાવી શકે છે. સિયામ પર કબજો જમાવ્યા પછી જાપાન બ્રહ્મદેશ તરફ આગેકૂચ કરવા ઈચ્છે છે, પરંતુ એ જંગલનો વિસ્તાર છે. એમાં કૂચ કરીને જવાનું સૈનિકો માટે સરળ નથી. જે રેલવેલાઈન નખાય તો હજારો સૈનિકો પાંચ-છ કલાકમાં ત્યાં પહોંચી જઈ શકે. આ પ્રદેશની જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે જાપાની સેનાધિપતિ કર્નલ સાઈતોને ઉપરી સત્તાવાળાઓ તરફથી હુકમ થાય છે કે બમ તરફ આગેકૂચ કરવા માટે યુદ્ધકેદીઓને મજૂરો તરીકે તરત કામે લગાડી દો અને બેંગકોકથી રંગૂન સુધીની આશરે પાંચસો કિલોમીટરની રેલવેલાઈન નિર્ધારિત સમયમાં પૂરી કરી દો.' લશ્કરી હુકમ એટલે લશ્કરી હુકમ. એમાં એક દિવસનું મોડું પણ ન ચાલે. એમાં કોઈ બહાનાં કાઢી ન શકાય. કર્નલ સાઈતોને હુકમ મળતાં જ યુદ્ધકેદીઓને અને વેઠ મજૂરોને કામે લગાડી દીધા. રેલવેલાઈન તૈયાર કરવાનું કામ “યુદ્ધના ધોરણે ચાલવા લાગ્યું. એમાં કપરું કાર્ય હતું વચ્ચે આવતી કવાઈ નદી ઉપર પુલ બાંધવાનું. યુદ્ધકેદીઓમાં મુખ્યત્વે સિયામી હતા, તદુપરાંત અંગ્રેજો પોતાની સાથે લઈ ગયેલા બર્મ અને ભારતીય સૈનિકો પણ હતા. કેટલાક અંગ્રેજ યુદ્ધકેદીઓ પણ હતા. આ બધા યુદ્ધકેદીઓના અધિપતિ હતા એક બ્રિટિશ કર્નલ નિકોલસન. બધા યુદ્ધકેદીઓ કામે લાગી ગયા, પરંતુ કર્નલ નિકોલસને કર્નલ સાઈતને કહ્યું, “હું કર્નલ છું. સેનાધિપતિ છું. ઇનિવાકરાર પ્રમાણે હું દેખરેખ રાખીશ, પણ શારીરિક મજૂરી નહિ કરું.” સાઈતોએ કહ્યું, 'જીનિવાકરાર રહ્યા તમારે ઘરે. અહીં તો તમે મારા યુદ્ધકેદી છો અને મારા હુકમ પ્રમાણે કામ કરવું પડશે. તમારે શારીરિક મજૂરી નથી કરવી ? તો ઊભા રહો ત્યાં તડકામાં પતરાની કેબિનમાં આખો દિવસ.' ઠંડા પ્રદેશમાંથી આવતા ગોરી ચામડીવાળા બ્રિટિશ કર્નલને માટે મજૂરી કરતાં પણ તડકામાં ઊભા રહેવાની સજા વધુ ભારે હતી. તેઓ પરસેવે રેબઝેબ થવા લાગ્યા. વળી તેમને વિચાર આવ્યો કે પોતે જે વિદ્રોહ કરશે તો પોતાના ઘણા સૈનિકો વગર વાંકે વહેલા મોતને ભેટશે. સત્તા આગળ શાણપણ બહુ ચાલે નહિ. તેઓ ઢીલા પડ્યા. બીજી બાજુ સાઈતાન વિચાર આવ્યો કે યુદ્ધકેદીઓનો જે સહકાર નહિ મળે તો પોતે નિર્ધારિત સમયમાં રેલવેલાઈન અને વાઈનો પુલ બાંધી નહિ શકે. જો એમ થશે તો પોતાને ઉપરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy