SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ કવાઈ નદીના કિનારે ૧૮૯ હતું. એમાં બીજા વિશ્વયુદ્ધની એક ઘટના સરસ રીતે બતાવાઈ હતી. આમ પણ યુદ્ધક્ષ્ય ફથી રમ્યા એમ કહેવાય છે, પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને જાપાનનો પરાજય થયા પછી જે અનેક ચલચિત્રો બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા વગેરે વિજેતા દેશોએ બનાવ્યાં એમાં પરાજિત દેશોને અત્યંત ખરાબ ચીતરવાનો ઈરાદાપૂર્વકનો પ્રચારાત્મક હેતુ જોઈ શકાતો હતો, પરંતુ ડેવિડ લિયનના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા અને એક ગિનનેસની મુખ્ય ભૂમિકાવાળા આ ચલચિત્રમાં જાપાનને બદનામ કરવાનો જરા પણ આશય જણાતો નહોતો. એમાં તટસ્થતાપૂર્વક, ક્લાની દષ્ટિએ વાસ્તવિક્તાનું નિરૂપણ કરવાનો આશય હતો. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું યુરોપમાં, પરંતુ એના અંતની શરૂઆત એટમ બોમ્બને લીધે એશિયામાં થઈ. જર્મનીએ બ્રિટનની સામે યુદ્ધ જાહેર કર્યું. એ યુદ્ધ યુરોપમાં અને આફ્રિકામાં પ્રસર્યું. રશિયા પણ એમાં સંડોવાયું. આ તકનો લાભ લઈ એશિયામાં જાપાન જેવા નાના દેશે બ્રિટન સામે યુદ્ધ જાહેર કર્યું. એ યુદ્ધ ઑસ્ટ્રેલિયાના કિનારા સુધી અને અમેરિકાના પર્લ હાર્બર સુધી પહોંચ્યું. પૃથ્વીના પાંચ ખંડ યુદ્ધગ્રસ્ત બની ગયા. જાપાને સિંગાપોર, મલાયા, થાઈલેન્ડ અને બમ સુધીના દેશો પર આક્રમણ કરી એ કબજે કરી લીધા. જાપાનનાં યુદ્ધજહાજો બંગાળના ઉપસાગરમાં પહોંચી ગયાં. કલકત્તા ઉપર ભય તોળાવા લાગ્યો હતો. પૂર્વતૈયારીરૂપે મુંબઈમાં રાતને વખતે અંધારપટ (Black out) છવાઈ ગયો હતો. યુદ્ધમાં નીતિનિયમો ખાસ હોય નહિ. યુદ્ધ એટલે નરી નિર્દયતા. દુશ્મન પ્રત્યે દયા બતાવે એ યુદ્ધમાં વિજેતા ન થઈ શકે. જર્મની અને જાપાને યુદ્ધમાં ઘણા ભયંકર અત્યાચારો કર્યા હતા. જાપાને કરેલા અત્યાચારોમાંનો એક તે પોતાની આગેકૂચ કરવા માટે યુદ્ધકેદીઓ અને વેઠ-મજૂરો પાસે સિયામથી બર્મા-મ્યાનમાર (બ્રહ્મદેશ) સુધીની બંધાવેલી રેલવેલાઈનનો હતો, જેમાં ઓછું ખાવાનું તથા સખત મજૂરી અને મારને કારણે રેલવે પૂરી બંધાતા સુધીમાં બે લાખથી વધુ માણસો મૃત્યુ પામ્યા હતા. આ રેલવે લાઈનમાં મહત્ત્વનું એક અઘરું કાર્ય તે વચ્ચે આવતી કવાઈ નદી ઉપર પુલ બાંધવાનું હતું. બેંગકોક છોડી અમારી ટેક્સી થાઈલેન્ડની વાયવ્ય દિશામાં કાંચનાબુર (કાંચનપુર) તરફ જવા ઊપડી. જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ ડાંગરનાં ખેતરો ઓછાં થતાં ગયાં અને જંગલની ગીચ હરિયાળી ઝાડી વધતી ગઈ. વચ્ચે નાનાં નાનાં છૂટાંછવાયાં ગામડાં આવતાં ગયાં. ભારતમાં ગોવા કે કેરળના ગ્રામવિસ્તારોમાંથી પસાર થતાં જેવાં દશ્યો જોવા મળે તેવાં દશ્યો અહીં જોવા મળ્યાં. કયાંક હાથીઓ પણ દેખાયા. બ્રહ્મદેશની સરહદ તરફ જતા આ રસ્તા પર આવેલાં ગામડાંઓના લોકોને જોઈએ તો તેઓ દેખાવે બર્મી જેવા જ લાગે. આ બાજુ ઉત્તરે “મોન' નામની જાતિના લોકો વસે છે. તેઓની ભાષા બમ અને સિયામીની મિશ્ર જેવી લાગે. Jain Education International For Private & Personal Use Only ! www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy