SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ઇજિપ્તના વિસા ૧૬૯ ઇજિપ્ત ઍરલાઈન્સની હતી એટલે કેરો(સ્થાનિક ઉચ્ચાર કાહિરા, કાહેરો)માં અમારે વિમાન બદલવાનું હતું, પરંતુ એ માટે અમારે વિમાનમથકમાં ટ્રાન્ઝિટ લોન્જમાં નવદસ કલાક બેસી રહેવાનું હતું. મુંબઈથી ઊપડી થોડા કલાકમાં અમે કેરો પહોંચી ગયા. સ્થાનિક સમય સવારના સાતેક વાગ્યાનો હતો. બપોર પછી પાંચેક વાગે ઇસ્તંબુલનું વિમાન અમારે પકડવાનું હતું. આટલા બધા કલાક લોન્જમાં બેસી રહેવું એ બહુ કંટાળાજનક હતું. કોઈ સમૃદ્ધ શહેરનું ટ્રાન્ઝિટ લોન્જ હોય તો ભાતભાતની દુકાનોમાં ચીજવસ્તુઓ જોવા-ખરીદવામાં, જુદાં જુદાં રેસ્ટોરાંમાં વિવિધ વાનગીઓ ખાવામાં અને વિશાળ જગ્યામાં હરવાફરવામાં કલાકો ક્યાં પસાર થઈ જાય તેની ખબર ન પડે, પણ કેરોમાં કોઈ એવું આકર્ષણ નહોતું. કેટલાકે પોતાનો કચવાટ શરૂ કરી દીધો : ‘આ નાનકડી જગ્યામાં આપણે નહાઈશું કયાં અને ખાઈશું કયાં ? આ તે કંઈ ટ્રાન્ઝિટ લોન્જ છે ?' અમારામાંથી કેટલાક પોતાની મેળે જુદા જુદા અધિકારીઓને પૂછી આવ્યા. કોઈક અધિકારીએ સૂચવ્યું કે ‘તમારે સરખો આરામ કરવો હોય તો ઍરપૉર્ટની બહાર જ પંચતારક હોટલ છે. ત્યાં તમારે માટે ચા-નાસ્તો, બપોરનું ભોજન વગેરે સહિત બધી સગવડ થઈ શકે એમ છે. એ માટે તમારે કશું ચૂકવવાનું નથી. ઇજિપ્ત ઍરલાઇન્સના ખર્ચે જ એ સગવડ તમને કાયદેસર મળી શકે એમ છે. એથી તમને પૂરતો આરામ મળશે.' દૂર કંડક્ટર ગોન્સાલવિસ પણ તપાસ કરી આવ્યા અને આ વાતનું એમણે સમર્થન કર્યું. કેટલાક લોકો ઉતાવળિયા અને અધીરા હોય છે. કેટલાક જાણે પોતાને જ બધી ખબર હોય એમ વર્તવા લાગે છે. કેટલીક શ્રીમંત વ્યક્તિઓમાં વળી જુદી જ જાતનો ઘમંડ હોય છે. સમૂહમાં હોઈએ ત્યારે બધી કક્ષાના માણસોનો વિચાર કરવાને બદલે તેઓ પૈસે પહોંચી વળવાની પોતાની શક્તિના તાનમાં જ હોય છે. અમારા ગ્રુપમાં ત્રણેક એવાં યુવાન શ્રીમંત દંપતી હતાં. પંચતારક હોટેલની વાત સાંભળતાં જ એમના ચરણમાં ચળ ઊપડી. બસ, ટ્રાન્ઝિટ લોન્જ તે કંઈ આરામ કરવાની જગ્યા છે ? તેઓએ હઠ પકડી કે જો પંચતારક હોટેલમાં જવા મળતું હોય તો શા માટે ન જવું ? મેં મારા અનુભવને આધારે બધાને કહ્યું, ‘આંતરરાષ્ટ્રીય વિમાનમથકમાં ટ્રાન્ઝિટ વિસ્તારમાં આપણે હોઈએ ત્યાં સુધી આપણા એ દેશના વિસા વપરાતા નથી, પરંતુ આપણે કસ્ટમ્સમાંથી નીકળીને બહાર જઈએ એટલે આપણા વિસા વપરાઈ જાય છે. આપણી પાસે સિંગલ એન્ટ્રી વિસા છે. વળી પાછા ફરતાં ચાર દિવસ ઇજિસમાં આપણે રહેવાનું છે. આપણે ઍરપૉર્ટ છોડી બહાર હોટેલમાં રહી શકીએ છીએ અને કેરોમાં હરીફરી શકીએ છીએ એનો અર્થ એ થાય કે આપણે ટ્રાન્ઝિટ પૅસેન્જર નથી. આપણા વિસા વપરાઈ જાય છે. કેટલાક દેશોમાં ટ્રાન્ઝિટ પૅસેન્જરોને ઍરપૉર્ટની બહાર લઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy