SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન કયાંક ક્યાંક કચરાના ઢગલા પડ્યા હતા. ગાઈડે કહ્યું કે ચારે બાજુ જ્યાં બરફ હોય ત્યાં કચરો નાખે ક્યાં ? માટીમાં પડેલો કચરો તડકાથી માટી જેવો થઈ જાય છે. પાણીમાં પડેલો કચરો પાણીમાં ઓગળી જાય છે, પણ બરફમાં પડેલા કચરાનું શું ? એ તો એવો ને એવો જ રહે છે. ઉનાળામાં જ્યારે બરફ ઓગળે અને સમુદ્રમાં સરખું પાણી થયું હોય ત્યારે કચરા માટે ખાસ સ્ટીમર અહીં આવે છે અને બધો કચરો ઉપાડી જાય છે, પણ એ તો વર્ષમાં એક વખત જ. પોઈન્ટ બેરોમાં અમને આવ્યાને પાંચ કલાક થઈ ગયા હતા છતાં સૂર્ય તો સવારે જ્યાં હતો ત્યાં જ હતો. ભારતમાં સાંજના ચારેક વાગે આકાશમાં ક્ષિતિજથી ઊંચે જેવો સૂર્ય દેખાય અને તડકો કંઈક સૌમ્ય બન્યો હોય એવી રીતે અહીં તડકાનો અને સૂર્યનો દેખાવ હતો. આકાશ સ્વચ્છ હતું અને સૂર્ય પ્રકાશતો હતો છતાં નીચે ધરતી પર અમને સખત ઠંડી લાગતી હતી. ધ્રુવપ્રદેશની લાક્ષણિકતા તો એ છે કે ઉનાળામાં મેથી ઑગસ્ટ સુધીમાં ઓછામાં ઓછા ૮૨ દિવસ સુધી સૂર્ય બિલકુલ અસ્ત પામતો નથી. નોર્વે, સ્વીડન કે રશિયાની ઉત્તરે રાતના સાડા અગિયાર – બાર વાગે પણ સૂર્ય Mid-night sun જોયો હતો, પરંતુ અહીં પૉઇન્ટ બેરોમાં ચોવીસે કલાક આકાશમાં સૂર્ય પ્રકાશતો રહે છે. અહીં સૂર્ય વર્ષમાં ક્યારેય મધ્યાકાશે આવતો નથી, પરંતુ સતત પોણા ત્રણ મહિના સૂર્ય આકાશમાં રહે એ ઘટના વિરલ અને વિલક્ષણ છે. તેવી રીતે શિયાળામાં નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં લગભગ સવા બે મહિના સુધી સૂર્ય ક્યારેય ક્ષિતિજની ઉપર આવતો નથી. સૂર્યોદય થતો નથી. છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ જેવું નથી હોતું, પરંતુ ત્રણ મહિનાનો દિવસ અને સવા બે મહિનાની રાત્રિ જેવું અહીં અવશ્ય હોય છે. આપણે કાળની ગણના સૂર્યોદય અને સૂર્યાસ્ત અનુસાર કરીએ છીએ. ચોવીસ કલાકની વહેંચણી આપણે એ રીતે કરી છે. સૂર્યોદય અને સૂર્યાસ્તને લીધે કાળ પસાર થતો હોય એમ આપણને લાગે છે, પણ કાળ જાણે સ્થિર થઈ ગયો હોય એવો અનુભવ અહીં ધ્રુવપ્રદેશમાં અમને થયો. આપણે એક વર્ષ બરાબર દેવલોકના દવાનો એક દિવસ એવી પૌરાણિક વાત આપણે સાંભળીએ છીએ, પરંતુ આપણા ત્રણ મહિના બરાબર એસ્કિમોનો એક દિવસ એ તો આપણે જાતે અહીં અનુભવી શકીએ છીએ. અજવાળું હોય કે અંધારું, ભૂખ લાગે ત્યારે ખાવું અને થાક લાગે ત્યારે ઊંઘી જવું એવો કુદરતી ક્રમ એમનો હોય છે. હવે અહીં ઘડિયાળ અને કેલેન્ડર આવ્યાં, પણ સૈકા પહેલાં જ્યારે અહીં ઘડિયાળ કે કેલેન્ડર ન હતાં ત્યારે એસ્કિમો શારીરિક હાજત અનુસાર પોતાનું જીવન જીવતા હતા. ગાઈડે કહ્યું, ‘અહીં ઉનાળામાં હવામાન જ્યારે બહુ ખરાબ હોય, પવન જોરજોરથી ફૂંકાતો હોય અને બરફના કણ હવામાં ઊડતા હોય ત્યારે આકાશમાં તમને એકને બદલે બે સૂર્ય દેખાય. પ્રથમ નજરે તો તમે એ દશ્યને સાચું જ માની લો એટલું આબેહૂબ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy