SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ભૂતકાળનાં એ દશ્યો નજર સમક્ષ તરવરવા લાગે છે. પ્રકાશ અને ધ્વનિ(Light and Sound)ના કાર્યક્રમ દ્વારા એની જીવંતતાની અહીં ઝાંખી કરાવવામાં આવે છે. પોતાને વિશ્વવિજેતા કહેવડાવનાર તૈમુરને પોતાના શિલ્પીઓ અને સ્થાપત્યકલાવિદોને બધે મોકલીને તથા પોતે નજરે જોયું હોય તેમાંથી પસંદ કરીને દુનિયાની શ્રેષ્ઠ ઈમારતો કરતાં પણ વધુ ચડિયાતી ઈમારતો સમરકંદમાં બાંધવાના આદેશો આપી દીધા હતા. ભારત, ઇજિસ, ગ્રીસ, જ્યોર્જિયા વગેરે ઘણે સ્થળેથી સેંકડો શિલ્પીઓ, ઈજનેરો, કારીગરો, બળવાન મજૂરો વગેરેને પકડીને સમરકંદ લઈ આવવામાં આવ્યા હતા. સેંકડો માઈલ દૂરથી મોટા મોટા પથ્થરો મજૂરો દ્વારા લાવવામાં આવતા. તૈમુરલેને સમરકંદમાં સ્થિર થયા પછી ઘણી જુદી જુદી ઈમારતો બંધાવી. હજારો માણસો દ્વારા આખો દિવસ કામ ચાલતું. પાંચેક વર્ષમાં તો ઘણી ઈમારતો ઊભી થઈ ગઈ. એમાંની એક તે બીબી ખનિમની મસ્જિદ છે. નીલરંગી એનો વિશાળ ઘુમટ દૂરથી પણ ધ્યાન ખેંચ્યા વગર રહે નહિ. દુર્ભાગ્યે તૈમુરના પોતાના જીવનકાળ દરમિયાન જ આ મસ્જિદ જર્જરિત થવા લાગી હતી. સમરકંદમાં આધુનિક સમયમાં જમીનમાંથી ખોદી કાઢવામાં આવેલું એક ઐતિહાસિક સ્થળ તે ઉલુઘબેકની ખગોળનિરીક્ષણ માટેની પ્રયોગશાળા છે. એક રશિયન વૈજ્ઞાનિક વ્યાટકિને ઉલુઘબેકના જીવનનો ઊંડો અભ્યાસ કર્યો. એ ઉપરથી એને ખાતરી થઈ કે ઉલુઘબેકે ક્યાંક પોતાની પ્રયોગશાળા (આપણા જંતરમંતર જેવી રચના) બનાવી હોવી જોઈએ. એણે જુદી જુદી જગ્યાએ ખોદકામ કરી, ભોંયરાં બનાવી છેવટે પંદરવીસ ફૂટ નીચે દટાયેલી આખી પ્રયોગશાળા, વર્ષોની મહેનત પછી શોધી કાઢી. સોવિયેટ સરકારે એના આ પ્રોજેકટ માટે આર્થિક સહાય કરી. આ પ્રયોગશાળા હવે આપણે જોઈ શકીએ છીએ. ઉલુઘબકે પોતાના મદદનીશોની સહાય લઈ ટેલિસ્કોપ વિનાના એ જમાનામાં, નરી આંખે નિરીક્ષણ કરીને આકાશના ૧૮૦૦ જેટલા તારાઓની નોંધ કરી છે. તારાઓ, નક્ષત્રો વગેરેની ગતિનાં નિરીક્ષણના આધારે ઉલુઘબકે એક વર્ષ બરાબર ૩૬૫ દિવસ, ૬ કલાક, ૧૦ મિનિટ અને ૮ સેકન્ડ એવું માપ કાઢ્યું હતું. આજનું વિજ્ઞાન કહે છે કે એક વર્ષ બરાબર ૩૬૫ દિવસ, ૬ કલાક, ૮ મિનિટ અને ૮.૫ સેકન્ડ. એટલે ઉલુઘબકે કરેલું એ જમાનાનું સંશોધન કેટલું બધું ચોકસાઈભર્યું હતું તેની પ્રતીતિ થાય છે. રશિયન વૈજ્ઞાનિક વ્યાકિને જીવનભર અહીં રહીને આ સંશોધન કર્યું. એની ભાવના એવી હતી કે પોતાના મૃત્યુ પછી પોતાના મૃતદેહને આ પ્રયોગશાળાના ચોગાનમાં જ દફનાવવામાં આવે અને એ પ્રમાણે સરકારે એની ભાવના અનુસાર એની દફનવિધિ અહીં કરી હતી. રાણા હોય કે રાજા, છત્રપતિ હોય કે ચક્રવર્તી, બાદશાહ હોય કે શહેનશાહ, મૃત્યુ કોઈને છોડતું નથી, પરંતુ રાજા-બાદશાહ કે એના પરિવારને બાળવા : દફનાવવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy