SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સમરકંદ ૧૫૫ અલાયદી, વિશાળ, વિશિષ્ટ જગ્યા રાખવાની અને ત્યાં સ્મારક રૂપે ઈમારત બાંધવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. સમરકંદમાં એવી જગ્યા તે “ગુરી-અમીર' છે. ગુરી એટલે કબર, અમીર એમિર) એટલે બાદશાહ (અથવા બાદશાહના પરિવારના સભ્ય). તૈમુરલેને પોતાના ધર્મગુરુ મિર સૈયદ બેરે માટે આ મકબરો કરાવ્યો હતો. એટલે ગુરીઅમીર ગુરમિર' તરીકે પણ ઓળખાય છે. ઈ.સ. ૧૪૦૩માં તૈમુરનો એક વહાલો પૌત્ર મહમદ સુલતાન એક યુદ્ધમાં હણાયો હતો. તૈમુરે એના શબને ગુરીઅમીરમાં દફનાવ્યું હતું. આ જગ્યાએ એક મોટી ભવ્ય ઈમારત બાંધવા માટે એણે આદેશ આપ્યો હતો. ઘેરા વાદળી રંગની ચમકતી લાદીની ડિઝાઈનવાળો, ઊંડા આંકાવાળો ઘુંમટ આ મકબરા પર કરવામાં આવ્યો હતો. ૧૪૦૫માં તૈમુરનું મૃત્યુ થતાં એને શબને પણ અહીં જ દફનાવવામાં આવ્યું હતું. તૈમુરના બીજા બે પુત્રોનાં શબને તથા પંડિત પૌત્ર ઉલુઘબેકના શબને પણ અહીં જ દફનાવવામાં આવ્યું હતું. એ રીતે આ મકબરો ઐતિહાસિક છે, પણ એના શિલ્પસ્થાપત્યનું લાલિત્ય એટલી ઊંચી કોટિનું છે કે કેટલાય કવિઓએ ગુરીઅમીર ઉપર કવિતા લખી છે. ઈ.સ. ૧૯૧૪માં ઉઝબેક એકેડેમીના વૈજ્ઞાનિકોને તૈમુરની અને ઉલુઘબેકની કબર ખોદવાની સરકારી પરવાનગી મળી. એ ખોદકામ થતાં એમાંથી નીકળેલાં ખોપરી સહિતનાં હાડપિંજર ઉપરથી એ બંનેની દેહાકૃતિ કેવી હશે તેને અભ્યાસ કરીને વૈજ્ઞાનિકોએ તેવી આકૃતિઓ બનાવી અને પછી હાડપિંજર પાછાં દફનાવી દેવામાં આવ્યાં. સમરકંદમાં મને ગમેલું બીજું એક સ્થળ તે કવિઓનું ઉધાન છે. આ આધુનિક રચના છે. આ હરિયાળા રમણીય ઉદ્યાનમાં એક મોટી લંબચોરસ શિલા ઉપર ઉઝબેકિસ્તાનના ચાર કવિઓ સામસામે બેઠા છે, બે પલાંઠી વાળીને અને બે વીરાસનમાં. તેઓ વાજિંત્ર સાથે પોતાની કવિતા ગાઈ રહ્યા છે. મૂછદાઢીવાળા પ્રૌઢ કવિઓએ સખત ઠંડીમાં પહેરાય એવા જાડા લાંબા ડગલા પહેરેલા છે. માથે પાઘડી કે મોટી ટોપી છે. સમરકંદે પોતાના કવિઓનું આ રીતે કરેલું ગૌરવ અનુમોદનીય અને અનુકરણીય છે. ગ્રેનાઈટ પથ્થરમાં કંડારવામાં આવેલી એવી બીજી એક શિલ્પાકૃતિ તે ઉઝબેક અને તાજિક પ્રજા વચ્ચે મૈત્રીની ભાવનાના પ્રતીક રૂપ એ બંને પ્રજાના બે કવિઓના મિલનની છે. સમરકંદમાં આ ઉપરાંત યુપાન-આટા, સખી-ઝિંદા વગેરે બીજાં કેટલાંક સ્મારકો પણ અમે ઝીણવટપૂર્વક નિહાળ્યાં. તે દરેકનો ભિન્ન ભિન્ન ઈતિહાસ છે. સમરકંદની ધરતી અઢી-ત્રણ હજાર વર્ષના ઈતિહાસથી ધબકે છે. દુનિયાની પ્રાચીન નગરીઓમાં સમરકંદનું પણ આગવું સ્થાન છે. ઉઝબેકિસ્તાન સોવિયેટ યુનિયનમાં જોડાયું એથી એને ઘણો લાભ થયો છે. એથી ખેતીપ્રધાન ગરીબ પ્રજાની આર્થિક સ્થિતિ સુધરી છે, શિક્ષણના ક્ષેત્રે વ્યવસ્થા સુદઢ થઈ છે. ઉદ્યોગો સ્થપાયા છે અને પ્રજાવિકાસનાં મહત્ત્વનાં કાર્યો થયાં છે. પરંતુ મારી દષ્ટિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy