SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ સમરકંદ દષ્ટિએ ઘણા પછાત છે. રોટી, કપડાં અને મકાન તેઓને મળ્યાં છે, પણ તેમના જીવનમાં કોઈ તેજ જણાયું નહિ. સમરકંદમાં જોવા જેવું સૌથી વધુ મહત્ત્વનું પ્રાચીન ઐતિહાસિક સ્થળ તે રેગિસ્તાન સ્ફર' છે. રેગિસ્તાન એટલે રેતીનો પ્રદેશ. આ અત્યંત વિશાળ ચોકમાં આપણી નજર સામે ત્રણ વિશાળ ઉત્તુંગ, કલાત્મક ઈમારતો ત્રણ દિશાભિમુખ અડોઅડ આવેલી છે. આપણી ડાબી બાજુની અને જમણી બાજુની ઇમારતના દરવાજા સામસામે પડે છે અને આપણી સામી બાજુની ઈમારતનો દરવાજો આપણી સન્મુખ દેખાય છે. પ્રથમ નજરે જ ચિત્તને જકડી રાખે એવી ઉત્તુંગ અને સૌન્દર્યમંડિત આ ઈમારતો છે. કેટલા બધા વિશાળ પાયા પર એના નકશાઓ તૈયાર થયા હશે ! ખરેખર, આનું આયોજન કરનારને ધન્યવાદ આપવાનું મન થઈ જાય. પંદરમા સૈકામાં સમરકંદમાં સ્થાપત્યકલા કેટલી બધી વિકસી હતી એની એ પ્રતીતિ કરાવે છે. મસ્તક ખાસ્સી વાર ઊંચું રાખીને અવલોકન કરીએ તો જ સંતોષ થાય. ઈંટ, ચીકણી માટી, મોટામોટા પથ્થરો, ચમકતી રંગબેરંગી ચીની માટીની લાદીઓ, ફૂલવેલની અને ભૌમિતિક આકૃતિઓનું સામંજસ્ય, સુવર્ણનો ઓપ અપાયેલાં કેટલાંક ચિત્રાંકનો – આ બધાંને કારણે એનું કલાસૌન્દર્ય અનુપમ બની રહ્યું છે. એમાં એના ચારમાંથી અવશિષ્ટ રહેલા બે મિનારાઓ અને ઉપરથી કમાન આકારના ભવ્ય ઊંચા દરવાજાઓ એના સૌન્દર્યમાં અભિવૃદ્ધિ કરે છે. એ જોતાં જ માણસ ભૂતકાળમાં ખોવાઈ જાય છે. આ ત્રણ સ્થાપત્યકૃતિઓ છે : (૧) ઉલુઘબેક મદ્રેસા (૨) શેરદોર મદ્રેસા અને (૩) તિલ્યા-કારી મદ્રેસા. ઉલુઘબેક મદ્રેસાનું બાંધકામ પંદરમા સૈકામાં થયું છે. એની નકલ જેવી બીજી બે મદ્રેસાઓનું બાંધકામ સત્તરમા સૈકામાં થયું છે. પરંતુ ઉલુઘબેક મદ્રેસા જેવું સૌન્દર્ય પછીથી થયેલી બે મદ્રેસાઓમાં જોવા મળતું નથી. ઉલુઘબેક મદ્રેસામાં પચાસ જેટલા વિશાળ ખંડો છે. અહીં વિદ્યાર્થીઓ માટે રહેવા-ભણવાની વ્યવસ્થા હતી. દૂરદૂરથી વિદ્યાર્થીઓ અહીં વિદ્યાભ્યાસ માટે આવતા. ખુદ ઉલુઘબેક પોતે પણ વિદ્યાર્થીઓને ભણાવતો. રાજા પોતે વિદ્યાગુરુ હોય એવો વિરલ સમન્વય ઉલુઘબેકમાં જોવા મળ્યો છે. - રેગિસ્તાન ચોકમાં આવેલી આ ત્રણે ઈમારતો એટલી બધી ઊંચી, વિશાળ અને ભવ્ય છે કે ચોકમાં ઊભેલા વિચારશીલ માણસને પોતે કદમાં કેટલો બધો નાનો છે તેનો અનુભવ થયા વગર રહે નહિ. આ મદ્રેસાઓ હવે વપરાશ વિનાની, સૂની અને જર્જરિત થઈ ગઈ છે, પરંતુ અત્યારે પણ જે એનો આટલો બધો પ્રભાવ પડતો હોય તો જ્યારે એ તૈયાર થઈ ગઈ હશે, નવી હશે અને વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરતા હશે, શાહી કુટુંબો એમાં વસતાં હશે, ચોકીદારો ચોકી કરતા હશે અને લોકોની ઘણી બધી અવરજવર રહેતી હશે ત્યારે એનું કેવું જીવંત વાતાવરણ લાગતું હશે અહીં ઊભા હોઈએ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy