SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ઉપર વિજય મેળવ્યા પછી એણે સમરકંદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું. મધ્ય એશિયાની રાજધાની સમરકંદ રહ્યું. અલબત્ત, તૈમુરની સરહદી મહત્ત્વાકાંક્ષા અતૃમ રહેતી. નવા નવા દૂરદૂરના પ્રદેશો ઉપર વિજય મેળવવા માટે સૈનિકોને લઈને પહોંચી જવાની એની ધગશ અદમ્ય હતી. પરંતુ એમ કરતાં એક યુદ્ધમાં તે માર્યો ગયો. ત્યારે એની ઉમર પચાસેક વર્ષની હતી. તૈમુરના મૃત્યુ પછી સમરકંદના રાજ્યને સ્થિર અને સુદઢ કરવામાં મહત્ત્વનું કાર્ય કર્યું એની ગાદીએ આવેલા પૌત્ર ઉલુઘબકે (અથવા ઉલુઘબેરેકે). તૈમુરનો એક પૌત્ર તે બાબર હતો. તે પોતાના સૈનિકો સાથે ભારત પર ચડી આવ્યો. દિલ્હીમાં એણે પોતાની સલ્તનત સ્થાપી. એ પછી તે દિલ્હીમાં જ સ્થિર થયો. ઉલુઘબકે સમરકંદને સમૃદ્ધ કર્યું. એનો રાજ્યકાળ તે સુખશાન્તિનો કાળ હતો. ઉલુઘબેકમાં બાદશાહ કરતાં પંડિતના ગુણો વધારે હતા. રાજ્યસીમા વિસ્તારવાને બદલે એણે પોતાની જ્ઞાનસીમા વિસ્તારી. એને ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનમાં વધુ રસ હતો. એણે સમરકંદમાં મદ્રેસા(વિદ્યાશાળા)ની સ્થાપના કરી. એ પોતે વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યો હતો. એની મદ્રેસામાં ત્યાર પછી ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હતા કે જેઓ કવિ કે તત્ત્વચિંતક તરીકે તૈયાર થયા હતા. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર કવિ-ફિલસૂફ ઉમર ખૈયામે સમરકંદની મસામાં રહીને અભ્યાસ કર્યો હતો. સોળમા સૈકામાં ઉઝબેક લોકોએ સમરકંદ ઉપર કબજો જમાવ્યો. અઢારમા સૈકામાં બુખારાના અમીરે સમરકંદ ઉપર વિજય મેળવ્યો. ઓગણીસમા સૈકામાં રશિયન લોકોએ તે ઉપર જીત મેળવી. સોવિયેટ યુનિયનની સ્થાપના પછી સમરકંદ ઉઝબેકિસ્તાનનું પાટનગર બન્યું. ૧૯૩૦ પછી પાટનગર તરીકે તાન્કંદને સ્થાન મળતાં સમરકંદનું મહત્ત્વ ઘટયું. અમારા ગાઈડ શાખોબે કહ્યું, ‘ઉઝબેકિસ્તાન સોવિયેટ યુનિયનમાં જોડાયું તે પછી એની પ્રગતિ ઘણી થઈ છે. સમરકંદની તો જાણે કાયાપલટ જ થઈ ગઈ. નવું સમરકંદ વસ્યું. મોટા મોટા રસ્તાઓ અને ઊંચાં ઊંચાં મકાનો થયાં. સ્કૂલો, કૉલેજો, યુનિવર્સિટીઓ, લાઈબ્રેરી, મ્યુઝિયમ, બજારો, ઉદ્યોગો, હોટેલો, હોસ્પિટલો, ઉધાનો, રેલવે સ્ટેશનો, રહેઠાણનાં મકાનો વગેરે બધું જ નવા વિસ્તારમાં નવેસરથી થયું. રેલવે સ્ટેશન પાસે એક મોટા ઊંચા પથ્થર પર લેનિનનું મોટું પૂતળું મૂકવામાં આવ્યું અને એ વિસ્તારનું નામ લેનિન સફર રાખવામાં આવ્યું. બીજાં પણ કેટલાંક સ્મારકો કરવામાં આવ્યાં. આ રીતે સમરકંદમાં જૂનું સમરકંદ અને નવું સમરકંદ એવા બે વિભાગ પડી ગયા. સમરકંદનાં જુદાં જુદાં સ્થળોની અમે મુલાકાત લીધી. શાખોબ દરેકનો ઇતિહાસ સમજાવતો જાય. સમરકંદની પ્રજા એકંદરે સુખી લાગી, તોપણ જૂના સમરકંદમાં ગામને છેવાડે માટીનાં જૂનાં નાનાં નાનાં ઘરોમાં રહેતા લોકોને જોઈને લાગ્યું કે તેઓ આર્થિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy