SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સમરકંદ ૧ પ્રાચીન નામ મરકંદ કે મરગંદ હતું. પછી સમરકંદ બન્યું. ઠેઠ પ્રાચીન કાળથી અત્યંત સમૃદ્ધ રહેલી આ નગરી ઉપર એલેક્ઝાન્ડર, ચંગીઝ ખાન અને તૈમુરલેન જેવા સમ્રાટોએ વિજય મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાના સૈનિકોની ભારે ખુવારીના ભોગે પણ એના ઉપર કબજો મેળવ્યો હતો એ જ એની મહત્તા દર્શાવે છે. સમરકંદનો જૂનામાં જૂનો ઉલ્લેખ ઈ.સ. પૂર્વે ૩૨૯નો મળે છે. એલેક્ઝાન્ડર લાખો સૈનિકોને લઈને પંદર દિવસમાં હિંદુકુશ પર્વત ઓળંગીને સોઘડિયાના નામના પ્રદેશના સમરકંદ શહેર પર ચડી આવ્યો હતો. સ્થાનિક બહાદુર પ્રજાએ ભારે સામનો કર્યો હતો. ત્રણેક વર્ષ યુદ્ધ ચાલ્યું હતું. એક લાખ કરતાં વધુ સૈનિકો માર્યા ગયા હતા. છેવટે એલેક્ઝાન્ડરે સમરકંદ ઉપર વિજય મેળવ્યો હતો. ઘણાં વર્ષ સુધી મેસેડોનિયા બેક્ટ્રિયાના સામ્રાજ્યના એક ભાગ તરીકે રહ્યા પછી એલેક્ઝાન્ડરના મૃત્યુ બાદ સમરકંદ છૂટું પડ્યું અને સ્થાનિક રાજાના હાથમાં આવ્યું. ઈ.સ.ની પહેલી શતાબ્દીમાં તે કુશાન સામ્રાજ્યનો એક ભાગ બન્યું. આઠમા સૈકામાં આરબોએ એના પર ચડાઈ કરી અને જીત મેળવી. ત્યારથી સમરકંદ મુસ્લિમ સંસ્કૃતિનું એક મોટું કેન્દ્ર બન્યું. ત્યાર બાદ જુદા જુદા વંશના રાજાઓએ એના પર વખતોવખત રાજ્ય કર્યું. ઇ.સ.ના તેરમા સૈકામાં મોગોલ સમ્રાટ ક્રૂર ચંગીઝ ખાને સમરકંદ ઉપર મોટી ચડાઈ કરી. એના સૈનિકોએ સમરકંદ ઉપર વિજય મેળવ્યો. બંને પક્ષે ઘણી મોટી ખુવારી થઇ એટલું જ નહિ, ચંગીઝ ખાનના સૈનિકોએ સમરકંદમાં સ્ત્રીઓ અને બાળકો સહિત તમામ માણસોને રહેંસી નાખ્યાં. ઘણો મોટો માનવસંહાર થયો. એક લાખ કરતાં વધુ માણસો મૃત્યુ પામ્યાં હશે. જેઓ ભાગી છૂટ્યા તે બચ્યાં. સૈનિકોએ સમરકંદમાં લૂંટ ચલાવી, આગ લગાડી. કાળો કેર વર્તાવી તેઓ ભાગી ગયા. સમરકંદમાં લોહીની નદીઓ વહી. મહિનાઓ સુધી માંસભક્ષી પક્ષીઓ ઊડતાં રહ્યાં. આખું નગર સ્મશાન જેવું અને દુર્ગંધમય બની ગયું. કેટલાંક વર્ષો પછી સમરકંદ ફરી વસવા લાગ્યું. પર્શિયાના રાજાએ આ આખા પ્રદેશ ઉપર વર્ચસ્વ જમાવ્યું. એક પછી એક રાજાઓ આવતા ગયા. ઈસ્વીસનના પંદરમા સૈકામાં તૈમુરલેને ભારત ઉપર ચડાઈ કરી અને ઉત્તરનો પ્રદેશ જીતી લીધો. ત્યાર પછી એણે જ્યોર્જિયા પર ચડાઈ કરી. આમ, વોલ્ગા નદીથી ગંગા નદીના પ્રદેશ ઉપર પ્રભુત્વ ધરાવનાર તૈમુરલેન ત્યાર પછી મધ્ય એશિયા ઉપર વિજય મેળવવા નીકળ્યો. એના સૈનિકોએ ચારે બાજુ ભારે સંહાર કર્યો. તૈમુરલેન કહેતો કે ‘આકાશમાં જેમ અહ્વાહ એક જ છે, તેમ પૃથ્વી પર એક જ સમ્રાટ હોવો જોઇએ, અને તે સમ્રાટ હું પોતે છું.’ તૈમુરલેનની ઘણી બેગમો હોવાથી એના પુત્રો અને પૌત્રો પણ ઘણા હતા. તેઓ બધા બળવાન અને પરાક્રમી હતા. તેઓ બધા જુદી જુદી દિશામાં જુદા જુદા પ્રદેશો ઉપર વર્ચસ્વ જમાવતા જતા હતા. આથી એનું સામ્રાજ્ય ઘણું વિસ્તાર પામ્યું. સમરકંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy