SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ તોબા ૧૩૫ મિકિમોતોએ પોતાના પ્રયોગ માટેની એક ઑઈસ્ટર માછલીની છીપલા-દાબડી ખોલી તો એમાંથી મોતી નીકળ્યું. દુનિયાનું પહેલવહેલું એ કલ્ચર્ડ મોતી ! મોતીના જગતમાં એક મોટી ક્રાન્તિ થઈ. માણસ ધારે તો ઈસ્ટર પાસે પોતાની ઈચ્છા પ્રમાણે મોતી બનાવડાવી શકે, મિકિમોતોના આનંદનો પાર ન રહ્યો. પરંતુ મિકિમતોનો પ્રયોગ સંપૂર્ણ સફળ થયો ન હતો, કારણ કે છીપલામાંથી મોતી કાઢ્યું ત્યારે તે ઉપરથી વર્તુળાકાર પણ નીચેથી ચપટું હતું. એથી મિકિમોતોએ નિરાશા અને આશા સાથે અનુભવ્યાં. નિરાશ એટલા માટે કે બાર વર્ષની મહેનત પછી આખું મોતી બન્યું ન હતું અને આશા એટલા માટે કે પદ્ધતિ હાથ લાગી ગઈ છે એટલે અડધામાંથી આખું મોતી બનાવતાં હવે બીજાં બાર વર્ષ નહિ લાગે. મિકિમતોના પ્રયોગો વધી ગયા અને થોડા વખતમાં જ આખું ગોળ મોતી બનતું થઈ ગયું. ગાઈડે અમને ૧૧મી જુલાઈ ૧૮૯૩ની યાદગીરી રૂપે એક સ્થળે મોતીની એક વિશાળ પ્રતિકૃતિ બનાવીને ખુલ્લામાં મૂકવામાં આવી છે તે બતાવી. મિકિમોતોએ એકઠાં કરેલાં હજારો છીપલાંઓનું સંગ્રહસ્થાન અમે જોયું. મિકિમોતો ક્યાં ક્યાં, કયારે ક્યારે ગયા અને એમણે કેવા કેવા પ્રયોગો કર્યા એનો સચિત્ર ઈતિહાસ અમને બતાવવામાં આવ્યો. ત્યાર પછી અમને કલ્યર્ડ મોતી માટેની પ્રયોગશાળામાં લઈ જવામાં આવ્યાં. એક જાપાની યુવતીએ અમને પ્રયોગ બતાવ્યો. પાણીથી ભરેલા એક વાસણમાંથી એણે એક ઓઈસ્ટર કાઢી. છીપ ખોલીને અંદર રહેલી માછલીનાં શરીરને ખોતરીને એના સ્નાયુમાંથી રાઈ કરતાં પણ નાના દાણા જેટલો ટૂકડો અણીદાર ચીપિયાથી કાઢી લીધો. એ માછલી મૃત્યુ પામી. ત્યાર પછી એણે પાણીમાંથી બીજી ઑઈસ્ટર કાઢી. એની છીપ-દાબડીને જરાક જેટલી પહોળી કરીને ચીપિયા વડે પેલો દાણો માછલીના શરીરમાં ખોસી દીધો અને દાબડી બંધ કરી તરત એ ઓઈસ્ટર નિશાની કરેલા વાસણના પાણીમાં મૂકી દીધી. એ જીવતી રહેલી માછલી વરસ કરતાં પણ વધુ વખત પછી જ્યારે મોતી બનાવી રહેશે ત્યારે પાણીમાંથી એને કાઢી એમાંથી મોતી કાઢી લેવામાં આવશે. ત્યારે એ માછલી પણ મૃત્યુ પામશે. આમ એક મોતી માટે બે માછલીનો ભોગ લેવાય છે. બીજી માછલીના સ્નાયુના દાણાને બદલે મશીનમાં બનાવેલો નકલી દાણો ભરાવી દેવામાં આવે તો એક જ માછલી મૃત્યુ પામે છે. કઈ માછલીમાં કેટલો મોટો દાણો ભરાવવો અને તારીખ લખી પાણીમાં કેટલો વખત માછલીને રાખવી એ ટેકનિકનો ઘણો વિકાસ થયો છે. ૧૮૯૩માં મિકિમોતોએ પકવેલાં મોતીની શોધ કરી ત્યાર પછી વેપારી ધોરણે આ ટેકનિકનો ઘણો વિકાસ થયો. પછી તો માત્ર જાપાન જ નહિ, દુનિયાના ઘણા દેશોમાં મોતી પકવવાનું, કલ્યર્ડ મોતી બનાવવાનું ચાલુ થઈ ગયું. ૧૯૫૪માં ૯૬ વર્ષની વયે મિકિમતોનું અવસાન થયું ત્યાં સુધીમાં તો દુનિયામાં ઘણી મહિલાઓ સુધી મોતી એમણે પહોંચતાં કરી દીધાં. મોતી પહેરવા માટે ધનાઢ્ય હોવું હવે જરૂરી ન રહ્યું. મિકિમતોનું સ્વપ્ન સાકાર થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy