SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવટી મોતી ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં જે હિંસા થતી બ્લેઇ તથી દુઃખી થઇને જૈન ધર્મની અહિંસા જેમને સ્વભાવગત છે એવા રમણલાલ લખે છે; ‘હું વિચારે ચડી ગયો. મોતીને માટે જાપાનમાં રોજની કરોડો માછલીઓ મારી નાખવામાં આવતી હશે ! દુનિયાભરના મોતીના ઉત્પાદનના વિચાર તો અહિંસાવાદીઓને કમકમાવી મૂકે એવો છે..... મોતીના આ વેપારમાં અહિંસામાં માનવાવાળા જૈનો મોટી સંખ્યામાં પડ્યા છે એ વળી બીજી કરુણતા નથી ?' આ પ્રવાસનિબંધો માહિતીસભર છે તે સાથે તેમના વિષયોનું વૈવિધ્ય પણ નોંધપાત્ર છે. ‘મેવાસિંગનો બેટો', 'કિએવનો ગાઇડ વિકટર’, ‘સહસ્ર દ્વીપના પ્રદેશમાં', ‘કુમામોટો’, ‘માઉન્ટ આબૂન’ ને ‘દેનાલી નેશનલ પાર્ક', ‘રોટોઆ’, ‘વાલ્ડિ’, ‘વાઇકિંગના વારસદારો', ‘સુવામાં નવું વર્ષ’, ‘કવાઇ નદીના કિનારે’ અને ‘વ્હલદર્શન’ એ પ્રવાસનિબંધમાં સારી ટૂંકી વાર્તામાં હોય એવું આશ્ચર્યતત્ત્વ છે તો ‘રક્યાવિક પહોંચતાં’, ‘તાકંદમાં', 'ઇજિપ્તના વિસા’ અને ‘રિજેન્સબર્ગમાં રાતવાસો' એ પ્રવાસનિબંધમાં કોઇ નાટયાત્મક પરિસ્થિતિનું આલેખન છે. વળી ‘નિસ્બત’ પ્રવાસનિબંધમાં રમણલાલને અને તારાબહેનને તેમનાં પુત્ર ચિ. અમિતાભ અને પુત્રવધૂ અ.સૌ. સુરભિ સાથે અમેરિકામાં બૉસ્ટન નામના શહેરના એક્ટન નામના પરામાં ગ્રેટરોડ ઉપર આવેલા નાચોબા વેલી એપાર્ટમેન્ટ્સ સંકુલમાં રહેતાં આજના ઔદ્યોગિક સમાજોમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે એવા સ્વકેન્દ્રી માનસનો અનુભવ થયો હતો તેનું વર્ણન છે, તો ‘લેસ્ટરમાં અડધી રાતે’ એ પ્રવાસનિબંધમાં રમણલાલનાં સાસુજીની સૂચનાથી ‘વાટકી વ્યવહાર'નો અહિંસક પ્રયોગ કરીને એક આરોપ અંગ્રેજનો રોષ શમાવ્યાના પ્રસંગનું આલેખન છે. ‘ઘૂતનગર લાસ વિગાસ' એ પ્રવાસનિબંધમાં જુગારીઓની મનોવૃત્તિનું જરા રમૂજી નિરૂપણ છે. એ પ્રવાસનિબંધના વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે રમણલાલ અને તારાબહેન જે હોટલમાં ઊતર્યાં હતાં તે હોટલના મેનેજરનું માન રાખવા તેમણે પણ એ ધૂતનગરમાં એક સ્લોટ મશીનમાં ૧૦ ૧૦ સેન્ટના ૧૦ સિક્કાઓ નાખીને બટન દબાવ્યાં હતાં અને એ મરિન તેમની ઉપર ૨૫ ડૉલર અને ૪૦ સેન્ટની કૃપા વરસાવી હતી, જોકે એ રકમમાંથી તેમણે ૧૧ ડૉલર હોટલના ‘બેલૉયને બક્ષિસરૂપે આપી દીધા હતા અને ટેક્ષી-ડ્રાઇવરને પણ ભાડાના ૭ ડૉલર ઉપરાંત ૧૫ ડૉલરની બક્ષિસ આપી હતી. આપણે ઇચ્છીએ કે ડૉ. રમણલાલ શાહ ઇશોપનિષદનો બીજો મંત્ર ર્વનેવેદ માંગિ નિનીવિષેજ્જીત સમા: ધ્યાનમાં રાખીને ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવવાની અભિલાષા રાખે, શેપ જીવનમાં પણ પ્રવાસો કરતા રહે અને આ પુસ્તક જેવા પ્રવાસનિબંધોના બીજા પાંચદશ સંગ્રહો આપે. હું તો તેમને એમ પણ સૂચવું કે તેમણે હ્યે ટૂંકી વાર્તાઓ અને એકાંકી નાટકો લખતા થવું. ચી. ના. પટેલ ૪ નીલકંઠ પાર્ક, નવરંગપુરા અમદાવાદ - ૩૮૦ ૦૦૯ ૫-૬ -૧૯૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy