SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ એક રમણીય, ચેતોહર પ્રવાસગ્રંથ શ્રી રમણલાલને નાનપણથી જ ચિત્રકલામાં જબરો શોખ. ચિત્રકલાના વિષયમાં તેઓ સદાયે પ્રથમ નંબરે આવે. મૅટ્રિક થયા બાદ, ચિત્રકલાના વિષયમાં ડિપ્લોમા લેવા માટે મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં જવાની તમણે મનોમન સંકલ્પ કલા, પણ મૅટ્રિકના વર્ષ દરમિયાન એમના વર્ગ શિક્ષક કવિશ્રી અમીદાસ કાણકિયા એમને ગુજરાતી ભણાવે. વર્ગની છ માસિક પરીક્ષામાં ગુજરાતીના વિષયમાં તમણે રમણલાલન સૌથી વધુ ગુણ (માકર્સ) આપ્યા અને ઉત્તરપત્રમાં છેલ્લ અવી નોંધ કરી કે, 'સાહિત્યમાં તમે રસ લેશો તે આગળ જતાં જરૂર લખક થઈ શકો.' કવિ- અધ્યાપક કાણકિયાના આ ભવિષ્યકથન જવા અભિપ્રાયથી ભાવવિભોર બનતા રમણલાલ, મૅટ્રિક પછી ચિત્રકલાને બદલ આર્ટ કૉલેજમાં જઈ સાહિત્યના વિષય લવ એવો દઢ સંકલ્પ કર્યો અને આજે આપણે જોઈએ છીએ કે એમની વય (અ) ૭૧ વર્ષ) કતાંય વધારે દશેક (લગભગ ૮૦) ખ્યાત ગ્રંથોના સુણ્ય લેખક તરીકે આ પ્રતિષ્ઠા પામ્યા છે. સંખ્યા અને સત્વની દૃષ્ટિએ પણ એમની બહુમુખી વ્યુત્પત્તિ અને સઘન સજજતામાં સાહિત્યના કટકેટલા ઇલાકાઓને અજવાળ્યા છે ! જૈન-જૈનેતર સાહિત્યનું શાસ્ત્રીય સંપાદન હોય કે અક્ષણ વિષયનું સંશોધન હોય, લલિત કે લલિત સાહિત્યનું વિવેચન હોય કે જૈન જૈનેતર ધર્મતની પર્યપણા હાય, પરભાષાના શિષ્ટ ગ્રંથના રસળતાં અનુવાદ હોય કે કલાસિકલ ગ્રંથનો સંક્ષેપ હોય, જેન-બૌદ્ધ-તત્ત્વદર્શનની તુલનાત્મક સમીક્ષા હોય કે પ્રવાસ- શોધ-સફર - સાહિત્યનું દક્ષ, ચેતોહર આલેખન હોય કે 'પ્રબુદ્ધ જીવનના અગ્રલેખ હોય - સૌમાં એમની વિલક્ષણ અક્ષર લીલા સુપર વરતાય છે. માર્ચ, ૧૯૮૩માં પ્રગટ થયેલી ‘પાસપોર્ટની પાંખેની પ્રથમ આવૃત્તિ અને માંડ ચાર જ માસમાં, ૧૯૮૩ના જુલાઈ માસમાં પ્રગટ થયેલી તની દ્વિતીય આવૃત્તિ, અમન ગુજરાતી પ્રવાસ-સાહિત્યના પ્રથમ પંક્તિના લેખક તરીકે પ્રસ્થાપિત કરે છે. 'પાસપોર્ટની પાંખે'માં આલેખાયેલા પંચાવન વિશિષ્ટ અને વિલક્ષણ પ્રસંગોમાં ક્યાંક ક્યાંક આપણા દિવંગત વાર્તા-નવલકથાકાર શ્રી રમણલાલ વ. દેસાઈની રહસ્ય ગોપન-સ્ફોટ-શૈલીનું અને ગુજરાતી પ્રવાસ-સાહિત્ય- સમ્રાટ શ્રી કાકાસાહેબ કાલેલકરની શિક્ષણ-સંસ્કાર-સંસ્કૃતિ-મંડિત ભાષાભંગિનું નૈસર્ગિક આકર્ષણ અનુભવાયું છે. . ‘પાસપોર્ટની પાંખેના વધુ લખેલા પ્રસંગો છેલ્લાં ત્રણેક વર્ષથી નવનીત'માં પ્રગટ થતા હતા તે હવે ગ્રંથરૂપે – 'પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન'ના નામથી પ્રગટ થાય છે. આ બંને ગ્રંથોના વાંચન ટાણે મન કવિવર ટ્વીન્દ્રનાથ ટાગોરના વૃન્દવાદન કાવ્યનું સ્મરણ થાય છે. કાવ્યમાં તેઓ કહે છે : “આ વિપુલ પૃથ્વીનું હું કેટલું ઓછું જાણું છું. શદેવામાં કેટલાય નગરો, રાજધાની - માણસની કેટલી કીર્તિ, કેટકેટલાં નદી, ગિરિ, સિંધુ, XI . .. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy