SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ મથ્ય-પિચ્છ ૧૬૯ ક્રમે ક્રમે પેઢી-દર-પેઢી આગળ વધતી ત્યાં પહોંચી હોવી જોઈએ. બીજા મત પ્રમાણે તે પ્રજાઓ ભારતમાંથી જમીનમાર્ગે ઉત્તર દિશામાં ચીન અને જાપાન તરફ સ્થળાંતર કરતી કરતી ઠેઠ બેરિંગની સામુદ્રધુની સુધી પહોંચી હશે અને ત્યાંથી વહાણોમાં સામે કિનારે એટલે કે ઉત્તર અમેરિકાના અલાસ્કાના કિનારે પહોંચી હશે. ત્યાર પછી કેટલીક પ્રજા ત્યાંથી પાછી અમેરિકાને પશ્ચિમ કિનારે નીચે ઊતરતી ઊતરતી મધ્ય અને દક્ષિણ અમેરિકા સુધી પહોંચી હશે. બે-પાંચ હજાર વર્ષ પૂર્વે ઉત્તર ધ્રુવ તરફ અત્યારે હોય છે તેટલી ઠંડી નહિ હોય અને હવામાન અનુકૂળ હશે, એટલે આ રીતે તે પ્રજા સ્થળાંતર કરી શકી હશે. મેક્સિકો, ગ્વાટેમાલા, પેરુ વગેરે દેશોમાં નિર્ભેળ એવા કેટલાક આદિવાસી અને યુરોપીય પ્રજા સાથે વર્ણસંકર થયેલા આદિવાસીઓ આજે આપણને જોવા મળે છે. એ પ્રજાની મુખાકૃતિ, રીતરિવાજો, ભરતગૂંથણવાળાં કપડાં તથા ખાવાપીવાની ટેવોનું કેટલુંક સામ્ય ભારતીય પ્રજા સાથે જોવા મળે છે, જેમ કે યુરોપીય પ્રજા તીખું ખાઈ શકતી નથી, પરંતુ મેક્સિકોના કેટલાક ગોરા લોકો બહુ તીખું ખાવાના શોખીન હોય છે. વળી મેક્સિકોના કેટલાક લોકો પાંઉને બદલે રોટલી (મેક્સિકન શબ્દ ટોટિયા) ખાય છે. મધ્ય અને દક્ષિણ અમેરિકામાં માયા સંસ્કૃતિ, ઈન્કા સંસ્કૃતિ વગેરે સંસ્કૃતિઓના જે પ્રાચીન અવશેષો મળે છે તે જુદા જુદા સમયના છે. ઈન્કા સંસ્કૃતિના અવશેષો એન્ડિઝની પર્વતમાળામાં ભિન્ન ભિન્ન સ્થળે જોવા મળે છે. આ અવશેષોમાંનું એક સુપ્રસિદ્ધ સ્થળ તે મય્ય-પિછુ નામનું નગર છે. આ અવશેષોની ખબર સંશોધકોને ઘણી મોડી મળી, કારણ કે ત્યાં પહોંચવાનું સરળ નહોતું. ત્યાં પહોંચવાનો માર્ગ નિર્જન વેરાનમાં, ગીચ ઝાડી અને ઊંચા ચઢાણને લીધે લુપ્ત થઈ ગયો હતો. પોર્ટુગલ અને ખાસ તો સ્પેનના લોકોએ પોતાની બંદૂકના જોરે ત્યાં હકૂમત જમાવવા માટે સ્થાનિક ઈન્કા પ્રજાઓ ઉપર જે ક્રૂર અત્યાચારો કર્યા હતા અને તેમનાં માલમિલકતનો નાશ કર્યો હતો તેનો ઇતિહાસ ઘણો કરુણ છે. સદ્ભાગ્યે આ વિનાશમાંથી મમ્મુ-પિચ્છ બચી ગયું, પરંતુ ઈન્કા રાજાનો પરાજય થતાં, ખોરાક અને જીવન-જરૂરિયાતની ઈતર વસ્તુઓ ન પહોંચતાં ત્યાં રહેતા માણસો ક્રમે ક્રમે મૃત્યુને શરણ થયા હશે એમ મનાય છે. હું અને મારાં પત્ની લેટિન અમેરિકામાં પેરુ જવાનાં હતાં. એટલે ત્યાં મચ્યુંપિચ્છના સાંસ્કૃતિક અવશેષો નજરે નિહાળવાની તક મળે તો સારું એવી અમારી ભાવના હતી. મપિચ્છ જવાનું એટલું સહેલું નથી. એટલે ત્યાં કેવી રીતે જઈ શકાય તે માટે મુંબઈમાં અમે પેરુની કૉસ્યુલેટની ઑફિસમાં તપાસ કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy