SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ આ શિખવાડ્યું કોણે હશે ? પૂર્વજન્મના સંસ્કાર વિના આમ બની શકે નહિ. માતાનું દૂધ બાળક માટે એટલું અનિવાર્ય છે કે તે એને જન્મથી જો ન મળે અને ગાયભેંસના દૂધ પર રહેવાનો જો વારો આવે તો બાળકનું આરોગ્ય જોખમાય છે. મૃત્યુની સંભવિતતા રહે છે. પશુઓમાં પણ એવા દાખલા જોવા મળે છે; કોઈ કૂતરી ગલુડિયાંને જન્મ આપીને બે-ચાર દિવસમાં જ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામી હોય અને દયાળુ લોકો ગલુડિયાને ગાયભેંસનું દૂધ પાતળું કરીને પીવડાવે તોપણ ગલુડિયાં ઝાઝો વખત જીવતાં રહેતાં નથી. એટલે જો દૂધને માંસાહાર બરાબર ગણવામાં આવે તો મનુષ્ય જન્મથી જ માંસાહારી છે એમ સ્વીકારવું પડે. એટલું જ નહિ તે જન્મથી જ નર (નારી) બક્ષી (Cannibal) છે એમ કહેવાનો વખત આવશે. પરંતુ દૂધ હિંસક નહિ, અહિંસક છે, વાત્સલ્ય ને કરુણાનું પ્રતીક છે. જૈનોના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીરના પગે ચંડકૌશિકે જ્યારે ડંખ દીધો ત્યારે તેમના પગમાંથી લોહી ન વહેતાં દૂધ વહ્યું હતું. એ બતાવે છે કે ભગવાનને ચંડકૌશિક જેવા દૃષ્ટિવિષ સર્પ પ્રત્યે પણ કેવો અપાર વાત્સલ્યભાવ હતો ! જૈન ધર્મ પ્રમાણે સ્તનપાન કરાવતી માતાનું દૂધ અચિત છે. તે હૂંફાળું અને જીવાણુરહિત - Bacteria free - હોય છે. આર્ય વજસ્વામીએ જમ્યા ત્યારથી તે જીવનના અંત સુધી સચિત વાનગીનો આહાર નહોતો કર્યો. તો પછી એમણે જમ્યા પછી માતાનું ધાવણ લીધું હતું કે નહિ ? શાસ્ત્રકારો કહે છે કે એમણે માતાનું ધાવણ લીધું હતું, પણ ધાવણ તો અચિત્ત હોય છે. એટલે વજસ્વામીની વાત સાચી છે. આજે કોઈ ઠેકાણે મલેરિયા, ટાઈફોઈડ કે એવો બીજો કોઈ ચેપી રોગ ફેલાયો હોય ત્યાં ધાવણા બાળકને લઈ જવાનો પ્રસંગ આવે તો બાળકને ચેપ લાગે કે નહિ ? દાક્તરોપશ્ચિમના નિષ્ણાત દાક્તરો પણ કહેશે કે બાળક જ્યાં સુધી ફક્ત માતાના ધાવણ પર જ રહેતું હોય અને એને વધારાનું દૂધ કે પાણી આપવામાં ન આવતું હોય તો બાળકને ચેપ લાગવાનું કોઈ જ જોખમ હોતું નથી. દૂધ સંપૂર્ણ આહાર તો છે જ, પણ એનામાં ઔષધીય ગુણો પણ ઘણા બધા છે. જીર્ણજવર, ક્ષયરોગ, મૂચ્છ, પાંડુરોગ, સંગ્રહણી, શોષરોગ, દાહ, તૃષારોગ, શૂલ, ઉદાવર્ત, ગુલ્મ, હરસ, પિત્તરોગ, રક્તપિત્ત, અલ્સર, યોનિરોગ, ગર્ભસ્રાવ વગેરે ઘણા રોગોમાં દૂધ અકસીર કામ કરે છે. કેટલીયે દવાઓ ગાયના દૂધમાં બનાવવામાં આવે છે. કેટલીક દવાઓ દુગ્ધાનુપાનની હોય છે એટલે કે તે દવા લીધા પછી દૂધ પીવું જોઈએ કે જેથી તે ગરમ દુગ્ધામૃત + ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy