SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવાહી તે દૂધ છે. દુનિયામાં અનેક ગરીબ લોકો દૂધથી વંચિત રહે છે એ સાચું, તો પણ દુનિયામાં સરેરાશ દૂધનું ઉત્પાદન એટલું બધું હોય છે કે પછી વધારાના દૂધમાંથી દહીં, માખણ, ઘી, ચીઝ દૂધનો પાઉડર ઇત્યાદિ બનાવવાની ફરજ પડે છે. પછી તો એ વ્યવસાય બની જાય છે. દૂધને માંસ સાથે નહિ સરખાવી શકાય કારણ કે દરેક પ્રાણીના શરીરમાં દૂધ હોતું નથી. ફક્ત સ્ત્રીઓમાં અને સ્તનપાન કરાવતાં માદા પ્રાણીઓનાં શરીરમાં જ દૂધ ઉત્પન્ન થાય છે. વળી તે પણ કાયમ ઉત્પન્ન થતું રહેતું નથી. જે સ્ત્રી કે સસ્તન માદા પ્રાણી સંતાનને જન્મ આપવાનાં હોય ત્યારે જ એના શરીરમાં દૂધ ઉત્પન્ન થાય છે. આમ, માતાનું દૂધ વાત્સલ્યભાવ સાથે અનિવાર્ય રીતે જોડાયેલું છે. જ્યાં વાત્સલ્યભાવ હોય ત્યાં ક્રૂરતા ન હોય. એટલે દૂધને માંસ સાથે સરખાવવું વાજબી નથી. ગાય-ભેંસ વગેરેના શરીરમાં જે દૂધ ઉત્પન્ન થાય છે તેનું પ્રમાણ એટલું બધું હોય છે કે તેનાં બચ્ચાંને પૂરતા પ્રમાણમાં દૂધ મળી રહ્યા પછી પણ વધે છે. કુદરતની એવી રચના છે કે વધારાનું દૂધ ઢોરના શરીરમાં રહી જાય તો એ એના સ્વાથ્યને નુકસાન પહોંચાડે છે. વળી દૂધ ફક્ત પાળેલાં ઢોરોનું જ લેવાય છે, જંગલમાં રખડતાં ઢોરોનું નહિ, પાળેલાં ઢોરને સારો ઘાસચારો, કપાસિયા વગેરેનો આહાર આપવામાં આવે તો તે વધુ દૂધ આપે છે. એટલે બચ્ચાંને ખાવાનું દૂધ માણસ ખાઈ જાય છે અથવા બચ્ચાંના ભોગે માણસ મોજ કરે છે એ દલીલમાં તથ્ય નથી. ક્યાંક અયોગ્ય ઘટના નહિ બનતી હોય એવું નથી, પણ સામાન્ય રીતે તો બચ્ચાંની માવજત જ થાય છે. વળી ઢોર પાળવાની પ્રથા અને પાંજરાપોળોની વ્યવસ્થાને કારણે ઢોરોને જંગલમાં હિંસક પ્રાણીઓ ફાડી ખાય એવી ઘટના ઓછી બને છે અને મહાજનો દ્વારા થયેલી પાંજરાપોળની વ્યવસ્થાને લીધે ઢોરો કતલખાને ઓછાં જાય છે. એમાં પણ અહિંસાની, કરુણાની ભાવના રહેલી છે. વસ્તુતઃ આદિકાળના શિકારી માંસાહારી લોકોમાંથી કેટલાકે નિર્દય માંસાહારમાંથી બચવા માટે ખેતી, પશુપાલન અને દૂધના વપરાશ દ્વારા અન્નાહારની પ્રથા ઊભી કરી એમ મનાય છે. જૈન માન્યતા પ્રમાણે ભગવાન ઋષભદેવે લોકોને આ પદ્ધતિ શીખવી હતી. ભારતમાં લાખો, કરોડો માણસોને પોતાનાં પાળેલાં ઢોર સાથે સ્વજન જેવી લાગણી અનુભવવા મળે છે. બીજી બાજુ માંસ માટે ઢોરની જે કતલ કરવી પડે છે એમાં નિર્દયતા રહેલી છે. ઢોર એ વખતે પૂજે છે, ભયથી વિહ્વળ બની જાય છે, તે ચીસાચીસ કરે છે, એને ઝાડો પેશાબ છૂટી જાય દુગ્ધામૃત : ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy