SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઓળખાય છે. તેઓ વેજિટેરિયન શબ્દનો ચુસ્ત અર્થ કરે છે. એટલે કે ફક્ત વનસ્પતિનો જ આહાર કરવામાં માને છે. તેઓ પ્રાણીનું માંસ કે પ્રાણીના શરીરમાંથી નીકળતો પદાર્થ (Animal Product) ખાતા નથી. પરંતુ કેટલાક અંતિમવાદી વનસ્પત્યાહારીઓ દૂધને વગોવવા માટે એને માંસાહારી તરીકે ઓળખાવે છે, કારણ કે તે પ્રાણીના શરીરમાંથી પેદા થાય છે. દૂધ ગાય-ભેંસ વગેરેના શરીરમાંથી નીકળે છે - Animal Product છે માટે તે માંસ બરાબર છે એવો વિચાર ભ્રમભરેલો છે. દૂધ વાત્સલ્યભાવનું પ્રતીક છે. દોહતી વખતે ગાયભેંસ વેદનાથી ચીસાચીસ નથી કરતી, પણ શાન્તિથી ઊભી રહી દોહવા દે છે. જ્યાં દોહનાર સ્ત્રી-પુરુષ સાથે એને મમતા બંધાઈ જાય છે ત્યાં તો દોહવાના સમયે એ ઉત્સુકતાપૂર્વક રાહ જોતી હોય છે અને દોહનારને જોતાં જ હર્ષઘેલી બની જાય છે. વળી દોહરાવતી વખતે પણ તે શાન્ત, આજ્ઞાંક્તિ બની દોહનારની સૂચના પ્રમાણે આઘીપાછી થાય છે. જેઓને ગાય, ભેંસ, બકરી વગેરે દોહવાનો દીર્ઘ કાળનો અનુભવ હશે તેઓ આ વાતની સાક્ષી પૂરશે. વળી દૂધની સરખામણી માંસ સાથે નહિ થઈ શકે કારણ કે દૂધની ઉત્પત્તિ તો ફક્ત માદાના શરીરમાં જ થાય છે. નર-પશુના શરીરમાંથી દૂધની ઉત્પત્તિ થતી નથી. માંસાહારી લોકો માંસ તો નર અને માદા બંનેનું ખાય છે. દૂધ એ જ માંસ હોય, તો પછી તે ફક્ત માદાનું જ કેમ હોઈ શકે ? આયુર્વેદ પ્રમાણે આપણે જે આહાર લઈએ છીએ તેમાંથી શરીરમાં ઉત્તરોત્તર ક્રમાનુસાર રૂપાંતર થતું જાય છે. આ ક્રમ છે : (૧) રસ, (૨) રક્ત, (૩) મેદ (ચરબી), (૪) માંસ, (૫) અસ્થિ (હાડકાં), (૬) મજ્જાની (હાડકાં વચ્ચેનો પદાર્થ - Marrow) અને (૭) શુક્ર (વીર્ય). શરીરમાં આ સપ્ત ધાતુનું ક્રમે ક્રમે નિર્માણ થાય છે. અને તે જ બરાબર સચવાય, (ખાસ કરીને વીર્ય સચવાય) તો તેમાંથી ઓજસુ તત્ત્વ થાય છે. આ સપ્ત ધાતુમાં દૂધનો ક્યાંય ઉલ્લેખ નથી. એનો અર્થ એ થયો કે શરીરમાં દૂધનું ઉત્પન્ન થવું અનિવાર્ય નથી. એટલે એનો અર્થ એ થયો કે દૂધનો આહાર માંસાહાર નથી. આયુર્વેદમાં વનસ્પત્યાહાર અને માંસાહારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેમાં દૂધને માંસાહાર તરીકે ઓળખાવ્યું નથી, તેમાં દૂધને સાત્વિક આહાર તરીકે અને માંસને તામસી આહાર તરીકે ઓળખાવ્યાં છે. પૃથ્વી પર મનુષ્યોમાં આહાર તરીકે પાણી પછી બીજા નંબરે લેવાતું પ0 સાંપ્રત સમાજ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy