SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અવસ્થાનું, બીજામાં “રૂપધાતુ' અવસ્થાનું અને ત્રીજા- ચોથામાં “અરૂપધાતુ' અવસ્થાનું નિરૂપણ થયેલું છે. રસ હોય, જાણકારી હોય અને સમયની નિરાંત હોય તો અભુત આનંદાનુભવ કરાવનારી એમાં સામગ્રી છે. અમે પહેલા માળ કે ગઢની “કામધાતુ' નામની ભમતીમાં ફરીને બીજા માળે ગયા, સ્થૂલ ભૌતિક કામભોગના જીવનમાંથી સૂક્ષ્મ આધ્યાત્મિક જીવન એટલે કે, “અરૂપધાત” સુધી જવાનું લક્ષ્ય હોવું જોઈએ. ચાર મંડલરૂપ ચાર ભમતી પૂરી કરી અને ઉપર પહોંચ્યા. ત્યાંનું તો દૃશ્ય જ કંઈક અનેરું છે. આટલું ચડતાં થાક નથી લાગતો અને લાગ્યો હોય તો એને હરનારી હવા આવી પહોંચે છે. ચારેબાજુ ખુલ્લા આકાશમાં રહેલું વાયુમંડળ ચિત્તને પ્રસન્નતાથી છલકાવી દે છે. અહીં સ્તૂપોના પ્રદેશમાં આપણે પ્રવેશીએ છીએ. અહીંની રચના હવે લંબચોરસ નહિ પણ લંબવર્તુળના પ્રકારની છે. એક પછી એક એવી ચડતા ક્રમે ત્રણ હારમાં બોતેર મોટા સ્તૂપ છે. આ બોતેર સૂપ સમયની ઘટમાળના પ્રતીકરૂપ છે એમ મનાય છે. અન્યત્ર જોવા મળે તેના કરતાં આ સ્તૂપોની લાક્ષણિકતા અનોખી છે. અહીં બૌદ્ધ ધર્મની શાખાસમન્વયની ભાવનાની અભિવ્યક્તિ થયેલી છે. બૌદ્ધ ધર્મની મુખ્ય બે શાખા છે : હીનયાન અને મહાયાન. હીનયાન શાખા ભગવાનની મૂર્તિ બનાવવામાં નથી માનતી. તે સૂપમાં માને છે. મહાયાન મૂર્તિમાં માને છે. અહીં સ્તૂપો છે અને પ્રત્યેક સ્તૂપની અંદર મૂર્તિ પણ છે. આ એની સમન્વયની વિશિષ્ટતા છે. સ્તૂપની અંદર મૂર્તિ હોય તો એનાં દર્શન કેવી રીતે થાય ? એ માટે સ્તૂપની દીવાલોને જાળી જેવી કરવામાં આવી છે. એમાં ચોંકટના આકારનાં મોટાં કાણાં છે. નજીક જઈને એમાંથી જોઈએ તો અંદર ધ્યાન બુદ્ધનાં દર્શન થાય. આ ચૉકટ કાણાં (ક્યાંક ચોરસ કાણાં પણ છે) પણ કલાત્મક રીતે કરવામાં આવ્યાં છે. ચાર ચાર ચૉકટનાં લહેરિયાં છે. નીચે કમળની પાંદડીઓવાળા આ સ્તૂપોની વર્તુળાકાર ગોઠવણીમાં કોઈ સાંકેતિક રહસ્ય રહેલું છે. આ ત્રણ વર્તુળોની વચ્ચે વિશાળ, ઉત્તેગ કેન્દ્રસ્થ સ્તૂપ આવેલો છે. ઉપર ચડતો ચડતો યાંત્રિક છેવટે આ સર્વોચ્ચ મધ્યસ્થ સ્તૂપનાં દર્શન કરીને કૃતાર્થ થઈને નીચે ઊતરે છે. બોરોબરમાં સૂપોમાં પ્રદક્ષિણાપથમાં અને બહાર ગોખલાઓમાં ભગવાન બુદ્ધની વજસત્ત્વ બુદ્ધ, વૈરોચન બુદ્ધ અને ધ્યાની બુદ્ધની એમ મળીને કુલ ૫૦૫ જેટલી પ્રતિમાઓ તો ત્રણસોથી પણ ઓછી છે. આટલું બધું નષ્ટ થયું હોવા છતાં બોરોબુદુર હજુ સમૃદ્ધ છે. બાર સૈકા જેટલા બોરોબુદુર ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy