SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ આ મંદિરની આકૃતિ લંબચોરસ પ્રકારની છે. એના ચારે ખૂણા બરાબર ચારે દિશામાં છે. ચારેબાજુ વચ્ચે પ્રવેશદ્વારમાં દ્વારપાલ તરીકે સિંહનાં મોટાં પૂતળાં છે. ચારે દરવાજે ચડવા-ઊતરવા માટે ઠેઠ સુધી પહોળાં પગથિયાં છે. આ વિસ્તારમાં જ્વાળામુખી પર્વતો હોવાથી મંદિરના બાંધકામમાં જ્વાળામુખીનો જ ભૂખરો પથ્થર વપરાયો છે. મંદિરમાં લંબચોરસ ઘડેલા એવા વીસ લાખ પથ્થરોનો ઉપયોગ થયો છે એ ઉપરથી એની રચનાની વિશાળતા અને નક્કરતાનો ખ્યાલ આવે છે. બારસો વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મનું અતિવિશાળ ભવ્ય મંદિર અહીં થયું એ ઉપરથી એ કાળે બૌદ્ધ ધર્મનો કેટલો બધો પ્રભાવ અને પ્રચાર આ પ્રદેશમાં હશે તેનું અનુમાન થઈ શકે છે. બોરોબુદુર શબ્દ “બિહાર' (વિહાર) અને “બેહુદુર' એ બે શબ્દનો બનેલો મનાય છે. “વિહાર' એટલે મંદિર અથવા મઠ અને બેહુદુર' એટલે ડુંગર પરની સપાટ જગ્યા. બોરોબુદુર એટલે ડુંગર પરનું ધાર્મિક સ્થળ. અહીં એક શિખાલેખમાં એ માટે “ભૂમિસંભાર' શબ્દ પ્રયોજાયો છે. બોરોબુદુર મંદિર હોવા છતાં તે પ્રણાલિકાગત મંદિર નથી; વસ્તુતઃ તે સ્તૂપ છે. સ્તૂપના પ્રકારની તે એક ભવ્ય રચના છે. મંદિરોમાં ભક્તિપ્રાર્થનાદિ માટે વિશાળ ખંડ કે રંગમંચ હોય છે તેવું બોરીબંદુરમાં નથી. અહીં ક્યાંય માથે છત નથી. આવી વિરાટકાય ઇમારત છે છતાં એકસાથે સો-બસો માણસ પલાંઠી વાળીને બેસી શકે એવી સમચોરસ કે લંબચોરસ કોઈ જગ્યા નથી. બોરોબુદુરના આ સૂપની રચના “મંડલના આધારે કરવામાં આવી છે. બૌદ્ધ દર્શનવિદ્યાને મંડલ દ્વારા આકૃતિના સ્વરૂપે દર્શાવાય છે. આ તૂપના પાયાની આકૃતિમાં પણ તાંત્રિક રહસ્ય રહેલું છે. * કેટલાંક પગથિયાં ચડી અમે ઉપર ગયા તો પ્રદક્ષિણાપથ કે ભમતી જેવી રચના આવી. ઇગ્નેશિયસે સમજાવ્યું કે આ પ્રદક્ષિણાપથમાં પણ વ્યવસ્થાક્રમ રહેલો છે. આવી ખુલ્લી પહોળી ચાર ભમતીની દીવાલોમાં અંદરની બાજુ આપણે જોઈ શકીએ એવું ભારોભાર શિલ્પકામ થયેલું છે. એમાં બૌદ્ધ ધર્મગ્રંથો “લલિત વિસ્તરા', “જાતક' વગેરેમાંથી વિવિધ કથાપ્રસંગે કોતરવામાં આવ્યા છે. તદુપરાંત બોધિસત્ત્વના જીવનપ્રસંગો, ભગવાન બુદ્ધની વિવિધ મુદ્રાઓ વગેરે ઘણુંબધું એમાં બતાવવામાં આવ્યું છે. અહીં ચાર માળની ચાર પ્રદક્ષિણાપથની દીવાલોમાં આશરે દોઢ હજાર જેટલી પેનલ છે અને દરેકનો વિષય જુદો છે. પ્રથમ પ્રદક્ષિણાપથમાં “કામધાતુ' ૩૦ % પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy