SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ અયોધ્યા, જ્યાં યુદ્ધ ન થાય તે. કર્તા એટલે નગરી. જોગ્યાકાર્તા એટલે શાન્તિની નગરી. અમે જોગ્યાકાર્તા પહોંચ્યા ત્યારે અમારું સ્વાગત કરવા અમારા ગાઇડમિત્ર હાજર હતા. એમનું નામ ઇગ્નેશિયસ. તેઓ સુશિક્ષિત અને સંસ્કારી હતા. જાતે ખ્રિસ્તી હતા, પણ હિંદુ, બૌદ્ધ અને ઇસ્લામ ધર્મની પણ સારી જાણકારી ધરાવતા હતા. એમની સાથે અમે ગાડીમાં બોરોબુદુર પહોંચ્યા. ચિત્રમાં જોયેલા મંદિરનાં દૂરથી સાક્ષાત્ દર્શન કરતાં એક વિશિષ્ટ અનુભવ થયો. અમે ધન્યતા અનુભવી. મંદિરનાં દર્શન તો થયાં, પણ મારાથી ઉપર ચડાશે કે કેમ તે વિશે દહેશત હતી, કારણ કે આગલે દિવસે જ મને કમરમાં અસહ્ય દુખાવો ઊપડ્યો હતો. જેવા અમે ગાડીમાંથી ઊતર્યા કે ઘણાં બધાં ફેરિયા-ફેરિયણ અમને વીંટળાઈ વળ્યાં, પોતપોતાની વસ્તુઓ વેચવા માટે. ચિત્રો, ફોટાઓ, પુસ્તિકાઓ, બોરોબુદુરના નામવાળાં ટી-શર્ટ, સ્કાર્ફ, યાદગીરી માટેની ચીજવસ્તુઓ વગેરે ખરીદવા માટે તેઓ આગ્રહ કરવા લાગ્યાં. કોઈકને એમાં ત્રાસ લાગે અને કોઈકને ભાવતાલ કરવાની મઝા આવે. ફેરિયાઓ પહેલાં ચારપાંચ ગણો ભાવ કહે અને પછી પાછળ પાછળ ચાલે અને ભાવ ઘટાડતા જાય. કોઈ પણ વસ્તુમાં રસ બતાવો અથવા એના ભાવ પૂછો એટલે તે ફેરિયો કેડો ન મૂકે. અમારા એક મિત્રે શર્ટના અમસ્તાં ભાવ પૂછ્યા. એટલે એ ફેરિયણ બાઈ ફલાઁગ સુધી, ઠેઠ મંદિરનાં પગથિયાં સુધી પાછળ પાછળ સતત ભાવ બોલતી-ઘટાડતી આવી અને છેવટે નિરાશ થઈ. ઇગ્નેશિયસ સાથે માસ મિત્રો પગથિયાં ચડવા લાગ્યા. મેં કહ્યું, ‘તમે જાઓ; મને કમરમાં દર્દ છે એટલે મારાથી અવાશે તો આવીશ.' પછી મનમાં શાન્ત ચિત્તે પ્રાર્થના કરી અને ધીમે ધીમે એક એક પગથિયું ચડવા લાગ્યો. દસ-બાર પગથિયાં ચડતાં તો કમરનો દુખાવો જાણે કિટ્ટા કરીને મોઢું ફેરવી ગયો હોય એવું લાગ્યું. પછી તો મિત્રોની સાથે હું થઈ ગયો એથી તેઓને પણ આનંદ થયો. અમે મંદિરના પ્રથમ પ્રવેશદ્વાર પાસે આવી પહોંચ્યા. મંદિર વિશે ઇગ્નેશિયસે સારી માહિતી આપી. બોરોબુદુરનું આ મંદિર ઈસવીસનના સાતમા-આઠમા સૈકામાં બંધાયેલું છે. ઈ.સ. ૭૩૨ના શિલાલેખમાં શૈલેન્દ્ર વંશના બૌદ્ધ ધર્મી રાજાઓની નામાવલિ છે. આશરે સવાસો ફૂટ ઊંચા, પચાસ હજાર ચોરસ ફૂટમાં પથરાયેલા બોરોબુદુ૨ * ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy