SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ કાળપ્રવાહમાં એણે ઘણી કડવીમીઠી અનુભવી છે. એણે અજ્ઞાતવાસ પણ સેવ્યો છે. ખેડૂત અને એના ખેતર માટે જેમ કહેવાય છે કે મોર (પક્ષીઓ) ખાય, ઢોર ખાય, ઉદર ખાય, ચોર ખાય તોય પેટ ભરીને ખેડૂત ખાય એટલું અનાજ ખેતરમાં ઊગે. બોરીબંદરની કેટલીયે પ્રતિમાઓ વિધર્મીઓએ નષ્ટ કરી છે, કેટલીક ચોરો ઉઠાવી ગયા છે, કેટલીક બીજાને ભેટ આપી દેવાઈ છે, કેટલીક વીજળી કે ધરતીકંપમાં નષ્ટ થઈ છે તો પણ યાત્રિકોનું હૈયું હરખાઈ જાય એટલી બધી પ્રતિમાઓ હજુ ત્યાં રહેલી છે. એમ જાણવા મળે છે કે આ મંદિરની પ્રતિષ્ઠાવિધિ થઈ હતી ત્યારે સર્વોચ્ચ સ્તૂપની અંદર ભગવાન બુદ્ધની નકરા સોનાની નાની પ્રતિમા પધરાવવામાં આવી હતી, પરંતુ ડચ શાસનકાળ દરમિયાન કોઈક ડચ અધિકારીએ સ્તૂપમાં બાકોરું પાડી એ પ્રતિમા કાઢી લીધી હતી અને મંદિરની કોઈક જગ્યાની પથ્થરની એક મૂર્તિ ખસેડીને ત્યાં મૂકી દીધી હતી. બીજા એક ડચ અમલદારે કેટલીક મૂર્તિઓ અને કલાકૃતિઓ કઢાવીને, નવ ગાડાં ભરીને સિયામના રાજાને ઈ.સ. ૧૮૯૬માં ભેટ આપી દીધી હતી. લાગે છે કે યંત્ર-તંત્રના રહસ્ય અનુસાર બોરોબુદુરના મંદિરનો નકશો તૈયાર કરવામાં બૌદ્ધ ધર્મગુરુઓ અને ઘણાબધા સ્થપતિ-શિલ્પી કલાકારોની કલ્પનાશક્તિએ કામ કર્યું હશે. મંદિરના સર્જનમાં મૌલિકતા, કલાત્મક સામંજસ્ય અને ધાર્મિક ઔચિત્ય ભારોભાર રહેલાં છે, એટલું જ નહિ, એકસાથે અનેક દર્શનાર્થીઓ આવે તો એમની સુખેથી અવરજવર થઈ શકે એવી વ્યવહારુ દૃષ્ટિ પણ એમાં રહેલી છે. પ્રાચીન કાળમાં રાજ્યાશ્રય વિના આવાં ભવ્યાતિભવ્ય ધર્મસ્થાનકોનું બાંધકામ થઈ ન શકે. આટલી બૃહકાય ઇમારત બાંધતાં વર્ષો લાગ્યાં હશે એ સુનિશ્ચિત છે, પરંતુ કયા રાજાને આ મંદિર બાંધવાનો ભાવ થયો હશે અને એમને કોણે પ્રેરણા આપી હશે તે વિષે નિશ્ચિતપણે કશું જાણવા મળતું નથી. એમ મનાય છે કે દોઢ-બે સૈકા સુધી બોરોબુદુરની જાહોજલાલી બરાબર જળવાઈ હશે, પરંતુ પછી કંઈક એવું બનતું રહ્યું હશે કે જેથી લોકો સ્થળાંતર કરી ગયા હશે. કેટલીક અટકળો થાય છે. મંદિર પર મુસલમાનોનાં આક્રમણ ત્યારે હજુ ચાલુ થયાં નહોતાં. સંભવ છે કે પાસે રહેલો જવાળામુખી ફાટ્યો હોય કે ભયંકર ધરતીકંપ થયો હોય. મંદિરનાં દર્શન કરવા જતાં એક યુવાન રાજકુમારનું હૃદય બંધ પડતા અવસાન થવાથી લોકો વહેમાઈ ગયા હોય અથવા શૈલેન્દ્ર વંશનો અંત આવ્યો હોય. ગમે તેમ, પણ બોરોબુદુરની પડતી ચાલુ થઈ ગઈ. થોડા વખતમાં તો ૩૨ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy