SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સહાનુભૂતિપૂર્વક સાંભળે છે. તેની ન કહેવાય ન સહેવાય તેવી પીડા તેમને આખી રાત ઊંઘવા દેતી નથી. (કિએવનો ગાઈડ વિક્ટર) રશિયાના માઉન્ટ આખુન પર એકવાર ચડી આવેલ લેખક મિત્રધર્મ ખાતર, ત્યાં ફરી વાર જવું નહોતું તેમ છતાં, બીજીવાર મિત્ર ખાતર પર્વતારોહણ કરે છે. (માઉન્ટ આખુન) નાઈલ નદીમાં વિહાર માટેની નૌકામાં તેમને અને તેમની સાથેના જૂથને છેવાડે બેસવાનું થતાં સૌ કોઈ ગુસ્સે થઈ આયોજકો સાથે લડવાના મૂડમાં આવી જાય છે ત્યારે લેખક એમને ટાઢા પાડતાં કહે છે કે બીજા લોકો વહેલા આવીને આગળ બેસી ગયા. એમાં કોઈનો વાંક નથી. હવે મનના ભાવો બગાડીએ તો મહેફિલની મજા માણવા નહિ મળે. માટે જે સ્થિતિ છે તે શાંતિથી સ્વીકારી લેવી જોઈએ.” (નાઈલમાં નૌકાવિહાર) આર્જેન્ટિનાના પાટનગર બોનોઝ આઈરિસ (Buenos Aires)માં હૉસ્ટેલના રિસેપ્શનિસ્ટ, ટેક્સી ડ્રાઇવર, એરપોર્ટના ઑફિસરના ખરાબ વર્તાવથી તેઓ “મનમાં જરા ખિન્નતા' અનુભવે છે, તેમની સાથે થોડી દલીલો કરે છે, પણ કોઈની સાથે ઝઘડતા નથી, બલ્ક “ભૂલ અમારીય હતી' એમ વિચારતાં “મનથી પ્રયત્નપૂર્વક અમે સમાધાન કરતાં હતાં કે આવું તો દુનિયામાં બધે જ બને છે; આપણા દેશમાં પણ વિદેશીઓને (અને ખુદ આપણને પોતાને પણ) કડવા અનુભવો ક્યાં ઓછા થાય છે ? પછી થોડો સારો અનુભવ થતાં તેઓ પ્રસન્નતા અનુભવે છે, તેમના ચિત્તમાં પડેલી ખિન્નતા દૂર થઈ જાય છે. (વિષાદ અને ઉલ્લાસ) પોતાની આર્થિક મુશ્કેલીમાં લિમા શહેર (પેરુ)ની ભવ્ય હોટેલનો મેનેજર વિના ચાર્જે તેમને વી.આઈ.પી. રૂમ કાઢી આપે છે ત્યારે લેખક તેમનો સભાવ જોઈ “ગળગળા થઈ જાય છે. (વી.આઈ.પી.રૂમ) તેઓ ક્યારેય કોઈના પ્રતિ રોષ કે દ્વેષની સખત ગાંઠ બાંધી દેતા નથી. અર્થાતુ આ બધા પ્રવાસલેખોમાં, લેખક-લેખનના સંદર્ભમાં, શીલ તેવી શૈલીનું સૂત્ર પૂર્ણત: ચરિતાર્થ થયું છે. તેમાં લેખકનાં શાંત-સ્વસ્થ-ઉદાર સ્વભાવ, કરુણામય નિર્મળ દૃષ્ટિ, અન્યની લાગણીનો ખયાલ રાખતી સમસંવેદના, કોઈને કશી અડચણ કે તકલીફરૂપ ન બને તેવો સમ્યફ વ્યવહાર, કટુતાકઠોરતામુક્ત મધુર-પ્રાસાદિક-ચિત્રાત્મક વાણી અને નાટ્યાત્મક નિરૂપણનો કલાત્મક વિનિયોગ થયો છે. તેમની ઈતિહાસ-ભૂગોળ- લોકસાહિત્યની જાણકારી પણ સંબંધર્તા લેખોમાં (અબુધાબીની સાંજ, ઈસ્તંબુલ-કૉસ્ટેન્ટિનોપલ, સમરકંદ, તિબિલિસી, બાલીમાં બેસતું વર્ષ, કોરિન્થ, મચુ પિચ્છ, કુરાસાઓ વગેરેમાં) પ્રસંગોપાત્ત રુચિર રૂપમાં ડોકાય છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ચંદ્રવદન મહેતા, ચી.ના. પટેલ, અનામી જેવા મર્મજ્ઞ વિવેચકોએ તેથી આ પ્રવાસલેખો અને 26 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy