SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સન્નિષ્ઠ અધ્યાપક-સંશોધક-વિવેચક અને જૂની ગુજરાતી-અપભ્રંશ-પ્રાકૃત-સંસ્કૃત ભાષા-સાહિત્યના ગંભીર અભ્યાસુ તરીકે જાણીતા છે. તેઓ એકાંકી નાટકોના લેખક તરીકે સર્જક પણ છે.૧ (બે૨૨થી બ્રિગેડિયર પુસ્તકમાં સંગૃહીત ચરિત્રાત્મક શબ્દચિત્રોમાં પણ તેમની સર્જકતાના ઝબકાર દેખાય છે.) તેમના ઉપરોક્ત પ્રવાસગ્રંથો, ખાસ કરીને પાસપોર્ટની પાંખેના ત્રણ ભાગ, તેમને ગુજરાતીના એક ઉત્તમ પ્રવાસકથાલેખક તરીકે સિદ્ધ કરે છે. તેમની આ પ્રકારની નોંધ હવે વાચકો અને વિવેચકો દ્વારા લેવાવા લાગી છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ચંદ્રવદન મહેતા, ચી. ના. પટેલ, ‘અનામી' જેવા વિવેચકોએ પાસપોર્ટની પાંખેને એક ઉત્તમ પ્રવાસકથા તરીકે અને તેના લેખકને એક ઉત્તમ પ્રવાસકથાકાર તરીકે ઉમળકાભેર બિરદાવ્યાં છે. વાચકોમાં પાસપોર્ટની પાંખે પુસ્તક ઘણું લોકપ્રિય થયું છે. પરિણામે અલ્પ સમયાવધિમાં તેની અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. વિશ્વવિદ્યાલયોમાં, ગુજરાતી વિષયના ઉચ્ચ અભ્યાસક્રમમાં, પાઠ્યપુસ્તક તરીકે તેને સ્થાન મળ્યું છે. ગુજરાતીની એક ઉત્તમ પ્રવાસકથા તરીકે તેની ગણના થઈ છે. તેના લેખક - સ્વામી સચ્ચિદાનંદ, ભોળાભાઈ પટેલ, પ્રીતિ સેનગુપ્તાની જેમ - ઉત્સાહી જગતપ્રવાસી છે. વિવિધ નિમિત્તે તેમણે એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્ત૨-દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડના લગભગ ૭૦ દેશોના પ્રવાસો ખેડ્યા છે. સહરાના રણથી માંડી આફ્રિકાનાં અરણ્યો અને ઉત્તર ધ્રુવ વર્તુળનાં બર્ફિલાં મેદાનો અને પર્વતો સુધી તેમણે પરિભ્રમણ કર્યું છે. તેમણે ખુલ્લી-નિર્મળ-સૂક્ષ્મ દૃષ્ટિએ, આનંદ-વિસ્મય-કુતૂહલ-જ્ઞાનપ્રાપ્તિના ભાવપૂર્વક, વિવિધ દેશો-પ્રદેશોનાં, રમણીય રોમાંચક અને ભયાનક દશ્યો નિહાળ્યાં છે, અને અને તેમનું સંવેદના-કલ્પના-વિચારયુક્ત, સુરેખ અને રસળતું નિરૂપણ, સરળ મધુર પ્રવાહી ચિત્રાત્મક શૈલીમાં કર્યું છે. તેઓ ભાષા-સાહિત્યના અધ્યાપક છે, વિવેચક તેમજ સર્જક છે, ભૂગોળ- ઈતિહાસના અભ્યાસુ છે, અને સ૨ળ-મધુર-સુકોમળ સ્વભાવના ઉમદા મનુષ્ય છે. ‘વાચકોને કશુંક નવું જાણવા માટે, વાર્તા જેવો રસ પડે અને મારો પોતાનો જ લાક્ષણિક અનુભવ હોય' એવું લખવાનો તેમનો ઉપક્રમ છે. ‘વાચકને રસ પડે અને વૈવિધ્ય જળવાઈ રહે' તેવા લેખન અંગે તેઓ સભાન છે. (‘નિવેદન', પાસપોર્ટની પાંખે-૧) તેથી સહજ સ્વાભાવિક રૂપમાં તેઓ જોયેલા પ્રદેશોની, રમ્ય-કરાલવિલક્ષણ-દર્શનીય પ્રકૃતિ અને સંસ્કૃતિનું, અલપઝલપ છતાં વાસ્તવિક સાક્ષાત્કારક અને હૃદયંગમ નિરૂપણ અનાયાસે કરી શક્યા છે. પ્રવાસકથાના તેમના નિરૂપણમાં લાઘવ, વ્યંજના, વૈવિધ્ય અનુભવાય Jain Education International 21 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy