SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ નાઈલમાં નૌકાવિહાર (ઈજિપ્ત) નાઈલ નદીના બંને કાંઠે વસેલા ઇજિપ્તના પાટનગર કેરો (સ્થાનિક લોકો ‘કાહિરા’ ઉચ્ચારે છે)માં રાતને વખતે ફરતા હોઈએ તો નદીમાં લાઇટનાં મોટાં મોટાં તોરણોથી શણગારેલી નૌકાઓને આમતેમ ફરતી અને પાણીમાં સુરેખ પ્રતિબિંબ પાડતી જોવાનો જુદો જ આનંદ છે. એથીય વિશેષ આનંદ તો છે એ નૌકામાં જાતે ફરવાનો. ઇજિપ્તનો પ્રવાસ જેમ પિરામિડ જોયા વગરનો અધૂરો ગણાય તેમ નાઈલના નૌકાવિહાર વિનાનો પણ અધૂરો જ ગણાય. કેટલાંક સ્થળોનો અદ્વિતીય અનુભવ ‘જીવ્યા કરતાં જોયું ભલું' જેવી કહેવતને યથાર્થ ઠરાવતો હોય છે. નાઈલ નદીનું સૌન્દર્ય પણ એવું જ છે. અમે કેટલાક મિત્રો ઇજિપ્તના પ્રવાસે ગયા હતા ત્યારે કેરોમાં નાઈલમાં નૌકાવિહારનો કાર્યક્રમ પણ અમારે માટે ગોઠવાયો હતો. Jain Education International જેવું સ્થાન ભારતમાં ગંગામૈયાનું છે તેવું સ્થાન ઇજિપ્તમાં (મિસ૨માં) નાઈલમૈયાનું છે. ગંગા કરતાં નાઈલ લાંબી ઘણી, પણ પહોળાઈમાં અને પાણીના પ્રવાહમાં ગંગા ચડે. ભારતીય સંસ્કૃતિના પોષણ-સંવર્ધનમાં ગંગાનો ફાળો ઘણો મોટો છે, પણ ગંગા ઉપરાંત બીજી નદીઓનો હિસ્સો પણ છે, ત્યારે આફ્રિકામાં મિસરની સંસ્કૃતિના જન્મ અને વિકાસમાં એક માત્ર નાઈલને જ યશ મળે છે. નૌકાવિહારના કાર્યક્રમ માટે સાંજે હોટેલ પર તેડવા આવનાર ગાઇડે નાઈલમાં નૌકાવિહાર * ૧૮૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy