SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી એણે એવી યોજના વિચારી કે એક છેડે વહાણ ઊભાં રહે. એમાંથી માલ ઉતારીને પૈડાંવાળાં વાહનોમાં મૂકવામાં આવે અને બીજે છેડે પહોંચાડવામાં આવે. એ વાહનો સારી રીતે ચાલી શકે એ માટે સપાટ રસ્તો કરવો જોઈએ. પણ એની યોજના સરખી અમલમાં આવી નહિ. ત્યાર પછી રોમનોના શાસનકાળ દરમિયાન સમ્રાટ નીરો ઇટલીથી કોરિન્થ આવ્યો હતો. એની સમક્ષ નહેરની યોજના મૂકવામાં આવી. તે વાત એને ગળે ઊતરી. એણે હુકમ છોડ્યો અને નહેર ખોદવા માટે છ હજાર ગુલામોને કામે લગાડી દેવામાં આવ્યા. પરંતુ એવામાં રોમમાં બળવો થયો એટલે ગુલામોને પાછા બોલાવી લેવામાં આવ્યા. પછીના સૈકાઓમાં નહેરની યોજના ક્યારેય થઈ નહિ. છેવટે ઓગણીસમી સદીમાં નહેર કરવામાં આવી. દરિયાની સપાટી કરતાં જમીનની સપાટી ઘણી જ ઊંચી છે અને પથ્થર એવો નક્કર છે કે નહેર કરતાં ઘણાં વર્ષો લાગ્યાં અને ખર્ચ પણ ઘણું થયું હતું. અમે ઉપરથી જોયું તો નહેર બહુ જ સાંકડી, એક નાની સ્ટીમર પસાર થઈ શકે એવડી છે, પરંતુ નીચે ભૂરા પાણીમાં વારાફરતી સરકતી જતી, ઉપરથી નાની દેખાતી સ્ટીમરોનું દૃશ્ય ગમી જાય એવું હતું. એક બાજુના કોરિન્થના અખાતની વાત કરતાં ગાઇડે કહ્યું કે આ અખાતની રચના એવી છે કે કોરિન્થની રાજ્યસત્તાનું એની પર સારું વર્ચસ્વ ટકી રહ્યું હતું. ઈ.સ. ૧૫૭૧માં ઓટોમાન તુર્ક અને કોરિન્થ વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે આ અખાતમાં ખેલાયેલા નૌકાયુદ્ધમાં કુલ તેત્રીસ હજાર તુર્ક નૌસૈનિકોને ડુબાડી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી એનો બદલો લેવા તુર્કસ્તાને પણ હજારો ગ્રીક લોકોનો સંહાર કર્યો હતો. કોરિન્થની નહેર જોઈ અમે બસમાં બેઠાં. ગાઈડે કહ્યું, ‘હવે આપણે કોરિન્થના અવશેષો જોવા જઈશું. ત્યાં ઠીક ઠીક વાર લાગશે અને લંચ માટે તમારે થોડું મોડું થશે. એટલે પહેલાં આપણે અહીં એક સ્ટોરમાં જઈએ છીએ. ત્યાં કૉફી, બિસ્કિટ વગેરે મળે છે અને યાદગીરીની વસ્તુઓ (souvenir) પણ મળે છે. એ માટે તમને વીસ મિનિટનો સમય આપવામાં આવે છે.” અમને બધાને એ સ્ટોરમાં લઈ જવામાં આવ્યાં. પણ અમારામાંથી કોઈ પ્રવાસીએ ન કશું ખાધું પીધું કે ન કશી ખરીદી કરી. ત્યાં બધું મોંઘુંદાટ હતું એટલે અકારણ ડૉલર ખર્ચી નાખવાનો કોઈનો જીવ ચાલતો નહોતો. યાદગીરી અને શોખની ચીજવસ્તુઓના ભાવ અમારા જેવા ભારતીય ૧૨૨ ૪ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy