SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પેગાસસ' એ એનું સત્તાવાર રાજદ્વારી પ્રતીક હતું. ઈસવીસન પૂર્વે છઠ્ઠા-સાતમા સૈકામાં કોરિન્થનું રાજ્ય વિસ્તાર પામતું ગયું હતું. વેપાર-ઉદ્યોગ અને વહાણવટામાં કોરિન્થ ઘણી પ્રગતિ કરી હતી. માટીનાં મોટાં વાસણો, એના ઉપર ચિત્રકામ, વણાટકામ, ધાતુની ચીજવસ્તુઓ, ઓજારો, યુદ્ધ માટેનાં હથિયારો વગેરે ખોદકામ કરતાં જે મળ્યાં છે તે પરથી જણાય છે કે કોરિળ્યું ત્યારે ઘણી પ્રગતિ કરી હશે. ઈસવીસન પૂર્વે છઠ્ઠા-સાતમા સૈકામાં સાઇસેલ્સ અને પછી એના પુત્ર પેરિઆન્ડરના શાસનકાળ દરમિયાન કોરિન્થની બહુ જાહોજલાલી હતી. - આ યુગમાં કોરિન્થમાં ગ્રીક સૂર્ય-દેવતા (તથા સંગીત, સંરક્ષણ અને પવિત્રતાના દેવતા) એપોલોનું મંદિર બંધાયું હતું. એના કેટલાક સ્તંભ આજે પણ ત્યાં જોવા મળે છે. એ વખતે નગરકોટ તરીકે કોરિન્થ બાંધેલી મજબૂત દીવાલ એટલી મોટી અને વિસ્તારવાળી હતી કે એવી મોટી દીવાલ ગ્રીસમાં બીજે ક્યાંય બંધાઈ નહોતી. શિલ્પ સ્થાપત્યનું ઘણું સુંદર કામ આ યુગ દરમિયાન થયું હતું. પરંતુ સમૃદ્ધિની ટોચે પહોંચેલાં નગરોનું કેટલીક વાર થાય છે તેવું જ કોરિન્થનું થયું હતું. ઈસવીસનના બીજા સૈકાથી લગભગ દસમા સૈકા સુધી કોરિન્થની જાણે દશા બેઠી હોય એમ બન્યા કર્યું. એથેન્સ સાથે યુદ્ધ થયું, મેસેડોનિયાએ આક્રમણ કર્યું, રોમનોએ ચડાઈ કરી, પર્શિયનોએ લડાઈ કરી, ઓટોમાન તુર્ક લોકોએ સંહાર કર્યો. આમ વિદેશીઓનાં આક્રમણો થયાં, ધરતીકંપો થયાં, દુશમનોએ આખા શહેરને આગ લગાડી અને એ રીતે કોરિન્થ ખેદાનમેદાન થઈ ગયું, ઉજ્જડ બની ગયું હતું. ગાઇડે કોરિન્થ વિશે અમને ઘણી માહિતી આપી. રોમનોના શાસનકાળ દરમિયાન અને પછી તુક લોકોના રાજ્યસમય દરમિયાન કોરિજે કેટલોક વખત પ્રાપ્ત કરેલી જાહોજલાલીનો પણ અમને ખયાલ આપ્યો. ત્યારે કોરિન્થની એક પચરંગી નગર તરીકે ખ્યાતિ વધી હતી. કોરિન્થ આવતાં પહેલાં અમારી બસ એક સ્થળે ઊભી રહી. અમે સી નીચે ઊતર્યો. કોરિન્થની નહેર અમને બતાવવામાં આવી. કોરિન્થનો વિસ્તાર એટલે બે સમુદ્ર વચ્ચેની નાની પટ્ટી (Isthmus) અર્થાત્ સંયોગી ભૂમિ એક બાજુ કોરિન્થનો અખાત અને બીજી બાજુ સારોનિક સમુદ્ર. બંનેને જોડતી નહેર જો ખોદવામાં આવે તો રોજેરોજ કેટલાંયે વહાણોનું સો માઈલનું ચક્કર બચી જાય, પરંતુ નક્કર પથ્થરમાં નહેર ખોદવાનું સહેલું નહોતું. નહેરનો વિચાર પેરિઆન્ડરને આવ્યો હતો. પણ એ શક્ય ન કોરિન્થ ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy