SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતીતિ એ કરાવે છે. એ મંદિરના ૩૨ ઊંચા મોટા સ્તંભમાંથી ૨૨ જેટલા સ્તંભ હજુ પણ જેમ હતા તેમ છે. એ જોતાં જ મંદિરની ભવ્યતાનો ખ્યાલ આવે છે. વળી આશ્ચર્યની વાત એ છે કે ઊંચાઈ પર બાંધવામાં આવેલાં ત્રણ ગ્રીક પ્રાચીન મંદિરો (એથેન્સનું પાર્થેનોન, એજિનાનું એફાઈયા મંદિર અને સોયુનિયન ભૂશિરનું પૉલિડોનનું મંદિર) ત્રિકોણાકારે બરાબર સમાન્તરે છે. એ બતાવે છે કે આ વિદ્યા તેમની પાસે કેટલી ચોક્કસાઈ ભરેલી હતી. જ્યારે હવામાન અત્યંત સ્વચ્છ હોય છે ત્યારે એ મંદિરો અહીંથી દેખાય છે. એજિનો ટાપુમાં બીજું એક ઐતિહાસિક સ્થળ તે સંત એજિયો નેકારિઓસની મોનેસ્ટરી (મઠ) છે. સંત ત્યાં બાવીસ વર્ષ રહ્યા હતા, એમની પાસે માંદા માણસને સાજા કરવાની શક્તિ હતી. એથી જ ઈ.સ. ૧૯૨૧માં એમના સ્વર્ગવાસ પછી એમને સંતનું બિરુદ આપવામાં આવ્યું હતું. એજિના ટાપુ પર ઠેર ઠેર પિસ્તાનાં વૃક્ષો હતાં. પિસ્તાનાં ઝૂમખાંથી લચી પડતાં મધ્યમ કદનાં હારબંધ વૃક્ષોથી એજિના વધુ સોહામણો લાગતો હતો. આ વૃક્ષો માટે તડકો અનિવાર્ય છે. અહીંની જમીન અને આબોહવા પણ એ માટે અનુકૂળ છે. એજિના પિસ્તા માટે પ્રખ્યાત છે. બસમાં અમે ફરતાં હતાં ત્યારે જુદા જુદા અંતરે આવતાં નાનાં નાનાં ખ્રિસ્તી દેવળ બતાવીને ગાઈડે કહ્યું, ‘જૂના વખતનાં ખાલી પડેલાં આવાં ૩૮ દેવળો આ ટાપુ પર છે.' “આટલો નાનો ટાપુ અને આટલાં બધાં દેવળો ? ખ્રિસ્તી ધર્મમાં આટલા બધા ફાંટા છે ?' કોઈકે પ્રશ્ન કર્યો. ‘હાલ ૩૮ દેવળ અસ્તિત્વમાં છે. બંધાયાં હતાં ત્યારે તો કુલ ૩૬૫ દેવળ હતાં.” ગાઈડે કહ્યું. બાપ રે ! તો તો લોકોમાં ધર્મના બહુ ઝઘડા થતા હશે ! દરેક કુટુંબનું પોતાનું જુદું દેવળ હશે !' કોઈકે કહ્યું. અમારે ત્યાં ભારતમાં ભગવાન મહાવીરના વખતમાં ૩૬૩ પંથ હતા. એ બધાના એક એક પ્રતિનિધિએ અહીં પુનરુ અવતાર તો નહિ ધારણ કર્યો હોય ને ? - મેં મજાકમાં કહ્યું. ગાઈડે ખુલાસો કરતાં કહ્યું, “ના, ત્યારે અહીં કોઈ વાડા કે પંથ નહોતા. બધા એક જ હતા. વસ્તી બહુ ઓછી અને જીવન એકવિધ હતું. એટલે એમાં વૈવિધ્ય આણવા માટે લોકોએ એક નવો નુસખો શોધી કાઢ્યો. રોજ નવા દેવળમાં પ્રાર્થના કરવી. આખું વર્ષ આ રીતે ચાલે. માટે નંબર એજિયન સમુદ્રના ટાપુમાં ૯ ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy