SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ એની ભાવના અનુસાર એની દફનવિધિ અહીં કરી હતી. ' રાણા હોય કે રાજા, છત્રપતિ હોય કે ચક્રવર્તી, બાદશાહ હોય કે શહેનશાહ, મૃત્યુ કોઈને છોડતું નથી, પરંતુ રાજા-બાદશાહ કે તેના પરિવારને બાળવા-દફનાવવા માટે અલાયદી, વિશાળ, વિશિષ્ટ જગ્યા રાખવાની અને ત્યાં સ્મારક રૂપે ઇમારત બાંધવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. સમરકંદમાં એવી જગ્યા તે “ગુરી-અમીર” છે. ગુરી એટલે કબર, અમીર (એમિર) એટલે બાદશાહ (અથવા બાદશાહના પરિવારના સભ્ય). તૈમુરલેને પોતાના ધર્મગુરુ મિર સૈયદ બેરેક માટે આ મકબરો કરાવ્યો હતો. એટલે ગુરીઅમીર “ગુરમિર' તરીકે પણ ઓળખાય છે. ઇ.સ. ૧૪૦૩માં તૈમુરનો એક વહાલો પૌત્ર મહમદ સુલતાન એક યુદ્ધમાં હણાયો હતો. તૈમુરે એના શબને ગુરીઅમીરમાં દફનાવ્યું હતું. આ જગ્યાએ એક મોટી ભવ્ય ઇમારત બાંધવા માટે એણે આદેશ આપ્યો હતો. ઘેરા વાદળી રંગની ચમકતી લાદીની ડિઝાઇનવાળો, ઊંડા આંકાવાળો ઘુંમટ આ મકબરા પર કરવામાં આવ્યો હતો. ૧૪૦પમાં તૈમુરનું મૃત્યુ થતાં એના શબને પણ અહીં જ દફનાવવામાં આવ્યું હતું. તૈમુરના બીજા બે પુત્રોનાં શબને તથા પંડિત પૌત્ર ઉલુઘબેકના શબને પણ અહીં જ દફનાવવામાં આવ્યું હતું. એ રીતે આ મકબરો ઐતિહાસિક છે, પણ એના શિલ્પસ્થાપત્યનું લાલિત્ય એટલી ઊંચી કોટિનું છે કે કેટલાયે કવિઓએ ગુરીઅમીર ઉપર કવિતા લખી છે. - ઈ.સ. ૧૯૧૪માં ઉઝબેક એકેડેમીના વૈજ્ઞાનિકોને તૈમુરની અને ઉલુઘબેકની કબર ખોદવાની સરકારી પરવાનગી મળી. એ ખોદકામ થતાં એમાંથી નીકળેલ ખોપરી સહિતનાં હાડપિંજર ઉપરથી એ બંનેની દેહાકૃતિ કેવી હશે તેનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકોએ તેવી આકૃતિઓ બનાવી અને પછી હાડપિંજર પાછાં દફનાવી દેવામાં આવ્યાં. સમરકંદમાં મને ગમેલું બીજું એક સ્થળ તે કવિઓનું ઉદ્યાન છે. આ આધુનિક રચના છે. આ હરિયાળા રમણીય ઉદ્યાનમાં એક મોટી લંબચોરસ શિલા ઉપર ઉઝબેકિસ્તાનના ચાર કવિઓ સામસામે બેઠા છે, બે પલાંઠી વાળીને અને બે વીરાસનમાં. તેઓ વાજિંત્ર સાથે પોતાની કવિતા ગાઈ રહ્યા છે. મૂછદાઢીવાળા પ્રૌઢ કવિઓએ સખત ઠંડીમાં પહેરાય એવા જાડા લાંબા ડગલા પહેરેલા છે. માથે પાઘડી કે મોટી ટોપી છે. સમરકંદ પોતાના કવિઓનું આ રીતે કરેલું ગૌરવ અનુમોદનીય અને અનુકરણીય છે. ગ્રેનાઇટ પથ્થરમાં કંડારવામાં આવેલી એવી બીજી એક શિલ્પાકૃતિ સમરકંદ - ૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy