SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાને વિશ્વવિજેતા કહેવડાવનાર તૈમુરલેને પોતાના શિલ્પીઓ અને સ્થાપત્યકલાવિદોને બધે મોકલીને તથા પોતે નજરે જોયું હોય તેમાંથી પસંદ કરીને દુનિયાની શ્રેષ્ઠ ઇમારતો કરતાં પણ વધુ ચડિયાતી ઇમારતો સમરકંદમાં બાંધવાના આદેશો આપી દીધા હતા. ભારત, ઇજિપ્ત, ગ્રીસ, જ્યોર્જિયા વગેરે ઘણે સ્થળેથી સેંકડો શિલ્પીઓ, ઇજનેરો, કારીગરો, બળવાન મજૂરો વગેરેને પકડીને સમરકંદ લઈ આવવામાં આવ્યા હતા. સેંકડો માઈલ દૂરથી મોટા મોટા પથ્થરો મજૂરો દ્વારા લાવવામાં આવતા. તૈમુરલેને સમરકંદમાં સ્થિર થયા પછી ઘણી જુદી જુદી ઇમારતો બંધાવી. હજારો માણસો દ્વારા આખો દિવસ કામ ચાલતું. પાંચેક વર્ષમાં તો ઘણી ઇમારતો ઊભી થઈ ગઈ. એમાંની એક તે બીબી ખનિમની મસ્જીદ છે. નીલરંગી અને વિશાળ ઘુમંટ દૂરથી પણ ધ્યાન ખેંચ્યા વગર રહે નહિ. દુર્ભાગ્યે તૈમુરના પોતાના જીવનકાળ દરમ્યાન જ આ મસ્જિદ જર્જરિત થવા લાગી હતી. સમરકંદમાં આધુનિક સમયમાં જમીનમાંથી ખોદી કાઢવામાં આવેલું એક ઐતિહાસિક સ્થળ તે ઉલુઘબેકની ખગોળનિરીક્ષણ માટેની પ્રયોગશાળા છે. એક રશિયન વૈજ્ઞાનિક વ્યાટકિને ઉલુબેકના જીવનનો ઊંડો અભ્યાસ કર્યો. એ ઉપ૨થી તેને ખાતરી થઈ કે ઉલુઘબકે ક્યાંય પોતાની પ્રયોગશાળા (આપણા જંતરમંતર જેવી રચના) બનાવી હોવી જોઈએ. એણે જુદી જુદી જગ્યાએ ખોદકામ કરી, ભોંયરાં બનાવી છેવટે પંદરવીસ ફૂટ નીચે દટાયેલી આખી પ્રયોગશાળા, વર્ષોની મહેનત પછી શોધી કાઢી. સોવિયેટ સરકારે એના આ પ્રોજેક્ટ માટે આર્થિક સહાય કરી. આ પ્રયોગશાળા હવે આપણે જોઈ શકીએ છીએ. ઉલુઘબેકે પોતાના મદદનીશોની સહાય લઈ ટેલિસ્કોપ વિનાના એ જમાનામાં, નરી આંખે નિરીક્ષણ કરીને આકાશના ૧૮૦૦ જેટલા તારાઓની નોંધ કરી છે. તારાઓ, નક્ષત્રો વગેરેની ગતિનાં નિરીક્ષણના આધારે ઉલુઘબેકે એક વર્ષ બરાબર ૩૬૫ દિવસ, ૬ કલાક, ૧૦ મિનિટ અને ૮ સેકન્ડ એવું માપ કાઢ્યું હતું. આજનું વિજ્ઞાન કહે છે કે એક વર્ષ બરાબર ૩૬૫ દિવસ, ૬ કલાક, ૮ મિનિટ અને ૮.૫ સૅકન્ડ. એટલે ઉલુઘબેકે કરેલું એ જમાનાનું સંશોધન કેટલું બધું ચોકસાઈભર્યું હતું તેની પ્રતીતિ થાય છે. રશિયન વૈજ્ઞાનિક વ્યાટકને જીવનભર અહીં રહીને આ સંશોધન કર્યું. એની ભાવના એવી હતી કે પોતાના મૃત્યુ પછી પોતાના મૃતદેહને આ પ્રયોગશાળાના ચોગાનમાં જ દફનાવવામાં આવે અને એ પ્રમાણે સ૨કારે ૯૬ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy