SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જઈને એનાં દર્શન કરતાં જ અમે આભા થઈ ગયા. જ્યાં સુધી જાતે ન જોઈએ ત્યાં સુધી એની વિરાટ ભવ્યતાનો અંદાજ ન આવી શકે. સૈકાઓ સુધી તે દુનિયાનું મોટામાં મોટું દેવળ રહ્યું હતું એ વાતની યથાર્થતા સમજાય છે. એ જમાનામાં રોજેરોજ હજારો ખ્રિસ્તી આ દેવળની યાત્રાએ આવતા. ગ્રીક ભાષામાં Hagia sophia નો અર્થ થાય છે દિવ્ય પ્રજ્ઞા (Divine wisdom). દેવળની વિશાળતા, ઊંચા ઊંચા સ્તંભોની પહોળાઈ, છતઘુમ્મટની સંરચના ઈત્યાદિનો વિચાર કરીએ તો રોમન સ્થાપત્ય કેટલી ઉચ્ચતાએ પહોંચ્યું હતું એની પ્રતીતિ થાય છે. સમ્રાટ જસ્ટિનિયને દિલ દઈને આ દેવળ બંધાવ્યું હતું. એમાં વપરાયેલી દસ લાખથી વધુ લાદીમાં કેટલીકમાં સોનાનું જડતરકામ થયું છે. ભીંતચિત્રોમાં પણ સોનાનો ઉપયોગ થયો હોવાથી એની આભા જ કંઈક ઑર લાગે છે. આ દેવળ તૈયાર કરાવીને જાહેર જનતા માટે જ્યારે ખુલ્લું મુકાયું હશે ત્યારે તો વિશ્વની આ એક અદ્ભુત રચના બન્યું હશે ! એના “મેડોના એન્ડ ચાઈલ્ડ' જેવાં કેટલાંક બેનમૂન મોઝેઈક તો વિશ્વવિખ્યાત બન્યાં છે. રોમન સમ્રાટોએ એક હજાર કરતાં વધુ વર્ષ કોસ્ટેન્ટિનોપલમાં રાજ્ય કર્યું. સમગ્ર યુરોપનું તે પ્રથમ નંબરનું સુવિખ્યાત શહેર બન્યું. રોજેરોજ અહીં હજારો વેપારીઓ આવતા અને ધમધોકાર વેપાર કરતા. પૂર્વમાં ભારત અને ચીન સુધી આ ક્લાસમૃદ્ધ, સંપત્તિવાન નગરની ખ્યાતિ પહોંચી હતી. પરંતુ ઈસ્લામ ધર્મના ઉદય પછી, અને એના વધતા જતા પ્રચારને કારણે તુર્ક વગેરે કેટલીક જાતિના લોકોએ એ ધર્મ અંગીકાર કર્યો હતો. તેઓ ધીમે ધીમે સંગઠિત અને આક્રમક થતા જતા હતા. તુર્ક લોકોએ એશિયા માઈનોર પર કબજો મેળવ્યો હતો. આ બાજુ રોમન સામ્રાજ્ય નબળું પડતું જતું હતું. એમ કરતાં ઈ.સ. ૧૪૫૩માં ઑટોમાન વંશના સુલતાન અહમદે યુદ્ધ કરીને કોન્સેન્ટિનોપલ ઉપર વિજય મેળવ્યો. ત્યારથી અહીં તુક લોકોનું આધિપત્ય વધી ગયું. હવે કોન્સેન્ટિનોપલ “ઈસ્તંબુલ' બની ગયું. અહીં સ્તંબુલ નામના જૂના મુખ્ય વિસ્તાર પરથી ઈસ્તંબુલ નામ પડ્યું. અહીં ઈસ્લામ ધર્મનો પ્રચાર થયો. અહીં એક હજાર જેટલાં દેવળોને મસ્જિદમાં ફેરવી નાખવામાં આવ્યાં. હગિયા સોફિયા પણ મસ્જિદ બની ગયું. એના બહારના ભાગમાં ઘુમ્મટો અને મિનારાની રચના પણ થઈ ગઈ. (હવે આ દેવળ મ્યુઝિયમ તરીકે વપરાય છે.). હગિયા સોફિયા જોયા પછી અમે ઈસ્તંબુલની સુપ્રસિદ્ધ નીલ મસ્જિદ (Blue Mosque) જોવા ગયા. ઈસ્તંબુલના પ્રવાસે જનારે આ મસ્જિદ અવશ્ય જોવી જોઈએ. આ એક ભવ્ય ઉત્તુંગ ઐતિહાસિક ઈમારત છે. આજે ૭૮ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy