SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ રોમન કાયદો, ગ્રીક તત્ત્વજ્ઞાન, મિસર(ઈજિપ્ત)નાં શિલ્પસ્થાપત્ય, ખ્રિસ્તી અને ઈસ્લામી ધર્મધારા એ બધાંનો સમન્વય થયો છે. ત્રણ હજાર વર્ષ પહેલાં, જ્યારે ખ્રિસ્તી ધર્મનો કે ઈસ્લામ ધર્મનો ઉદય થયો ન હતો ત્યારે ગ્રીસની પાસે આવેલા આ પ્રદેશમાં જુદી જુદી સ્થાનિક જાતિના લોકો વસતા હતા. એમાંની એક જાતિ બાયઝેન્ટી નામથી ઓળખાતી હતી. એના સરદારનું નામ બાયાઝ હતું. તે ગ્રીસ બાજુથી દરિયાઈ માર્ગે વેપારાર્થે આવ્યો હતો. આ બંદર ગમી જતાં એણે અહીં પોતાનું થાણું નાખ્યું હતું. ત્યારથી આ બંદર બાયઝેન્ટિયમ તરીકે ઓળખાવા લાગ્યું હતું. એટલે ઈસ્તંબુલનું સૌથી પહેલું નામ બાયઝેન્ટિયમ હતું. ગ્રીક લોકોએ એના પર આધિપત્ય જમાવ્યું હતું અને સૈકા સુધી તે બાયઝેન્ટિયમ તરીકે પંકાયેલું રહ્યું. બે હજાર વર્ષ પહેલાં ખ્રિસ્તી ધર્મનો ઉદય થયો અને ધીમે ધીમે પ્રસરતો તે ગ્રીસ અને ઈટલી સુધી પહોંચ્યો. ઈટલીમાં રોમના રોમન લોકો બળવાન, પરાક્રમી, યુદ્ધ કલામાં નિપુણ અને મહત્ત્વાકાંક્ષી હતા. હવે ગ્રીક સંસ્કૃતિ ઝાંખી પડવા લાગી અને રોમન સંસ્કૃતિનો પ્રભાવ વધતો ગયો. રોમન સૈનિકો આસપાસનો પ્રદેશ જીતવા જઈ રોમન સામ્રાજ્યનો વિસ્તાર કરતા જતા હતા. ઈ.સ. ૩૨૪માં રોમન સમ્રાટ કોસ્ટેન્ટિન-પહેલાએ બાયઝેન્ટિયમ પર આક્રમણ કરી તે જીતી લીધું. પ્રાચીન સમયમાં રાજ્યના પાટનગર માટે ટેકરી કે ડુંગરાની પસંદગી થતી અને નગરની આસપાસ મોટા કોટ-કિલ્લા બાંધવામાં આવતા કે જેથી દૂર સુધી નજર રાખી શકાય અને શત્રુ સામે સુરક્ષિત રહી શકાય. કોન્સેન્ટિને સમુદ્રકિનારે સાત ટેકરી પર નવેસરથી આ નગર વસાવ્યું અને કોટ-કિલ્લો બંધાવીને નગરને નવું નામ આપ્યું “કોન્સેન્ટિનોપલ'. વળી, રોમન સામ્રાજ્યના બે વિભાગ કરીને, પૂર્વ વિભાગના સામ્રાજ્યના પાટનગર તરીકે કોન્સેન્ટિનોપલને જાહેર કર્યું. રોમન લોકો શિલ્પ સ્થાપત્યમાં આગળ વધ્યા અને જેમ જેમ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર વધતો ગયો તેમ તેમ સ્થળે સ્થળે નાનાંમોટાં દેવળો બંધાતાં ગયાં. બે-એક સૈકામાં તો રોમન સામ્રાજ્યમાં હજારો દેવળો બંધાઈ ગયાં, જેથી લોકોને પોતાના ઘરની નજીક ધર્મસ્થાનક મળી રહે. ફક્ત કોન્સેન્ટિનોપલમાં જ એક હજારથી વધુ દેવળો બંધાઈ ગયાં. વળી, મહિલા સંત (સતી) સોફિયા(સોફાયા)ની યાદગીરીમાં છઠ્ઠા સૈકામાં આખી દુનિયાનું ત્યારે મોટામાં મોટું દેવળ “આયા સોફિયા” અથવા “હેગિયા સોફિયા' અહીં કોન્ટેન્ટિનોપલમાં બાંધવામાં આવ્યું. અમને દેવળ “હેગિયા સોફિક્યા” જોવા લઈ જવામાં આવ્યા. અંદર ઈસ્તંબુલ - કોન્સેન્ટિનોપલ ૯૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy